ભરૂચ: પાંજરાપોળને ગાયના છાણમાંથી ગૌ સ્ટીક અને દીવડા બનાવવાનું મશીન કરાયુ અર્પણ

અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસીઓના ઉત્થાન માટે કાર્યરત હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા રૂ.1.50 લાખમાં ખર્ચે ભરૂચ પાંજરાપોળને ગૌસ્ટિક અને દીવડા બનાવવા માટેનું મશીન દાનમાં આપવામાં આવ્યું

New Update
  • ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયો કાર્યક્રમ

  • પાંજરાપોળને મશીન અર્પણ કરાયુ

  • ગૌ સ્ટીક અને દીવડા બનાવવાનું મશીન અપાયું

  • હરિઓમ સોલાર ફાઉન્ડેશનનું સેવાકાર્ય

  • ગાય માતાનું પુજન અર્ચન કરાયુ

ભરૂચના હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ પાંજરાપોળને ગાયના છાણમાંથી ગૌ સ્ટિક તેમજ દીવડા બનાવવાનું મશીન દાનમાં આપવામાં આવ્યું છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસીઓના ઉત્થાન માટે કાર્યરત હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું છે.
હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા રૂ.1.50 લાખમાં ખર્ચે ભરૂચ પાંજરાપોળને ગૌસ્ટિક અને દીવડા બનાવવા માટેનું મશીન દાનમાં આપવામાં આવ્યું છે.આ મશીન અર્પણ કરતો  કાર્યક્રમ આજરોજ પાંજરાપોળ ખાતે યોજાયો હતો. 
જેમાં ગૌ પુજન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હરિઓમ સોલાર ફાઉન્ડેશનના ટ્રસ્ટી મગન હનીયા, સેક્રેટરી નવીન પરમાર, દિપક અદરોજા તેમજ ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા અને પ્રવિણ શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. આ મશીનમાં ગાયના છાણમાંથી ગૌસ્ટિક અને દીવડા સહિતની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.