ભરૂચ : એ ડિવિઝન ખાતે એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ યોજાઈ

ભરુચ એસ.પી મયુર ચાવડાની અધ્યક્ષતામાં  એ ડિવિઝન  પોલીસ  મથક ખાતે શહેર શાંતિ સમિતિનીની બેઠક મળી હતી.જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા

New Update

ભરુચ એસ.પી મયુર ચાવડાની અધ્યક્ષતામાં  એ ડિવિઝન  પોલીસ  મથક ખાતે શહેર શાંતિ સમિતિનીની બેઠક મળી હતી.જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો ઉપરાંત ગણેશ મહોત્સવના આયોજકો અને મસ્જિદના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.       

Advertisment

ભરુચના કુકરવાડા ખાતે કોમી તંગદિલીના બનાવ બાદ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને આગામી ઇદે મિલાદ અને ગણેશ મહોત્સવના ત્તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટેની ચર્ચા કરવા સાથે સૌ પોત પોતાની રીતે  પણ સક્રિય થઈ  તે માટે સમજાવટ સહિતની જરૂરી કાર્યવાહી કરશે તેવો નિર્ણય પણ કરાયો હતો.

જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોક સહયોગથી તમામ ધર્મના તહેવારોની કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અનુરોધ પણ કર્યો હતો. શાંતિ સમિતિના અગ્રણીઓ દ્વારા પણ લોકોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી.ભરુચ પોલીસ દ્વારા શહેરની શાંતિ ન ડહોળાય અનેકોમી એકતા ભર્યા માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રજાજનો પણ તેમાં પૂરતો સહયોગ આપે તે જરૂરી છે.

Read the Next Article

ભરૂચ: વાલિયાના કનેરાવ ગામની સીમમમાં સોલાર પ્લાન્ટમાંથી રૂ.10 લાખના માલમત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો

New Update
Screenshot_2025-08-16-18-16-46-98_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

Advertisment
ભરૂચના વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં દહીં તળાવ ઉજ્જવલ ટેકસટાઇલ્સ સોલાર પ્લાન્ટ આવેલ છે.જે સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટકયા હતા.અને ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 6.96 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે નજીકમાં જ આવેલ કોનીકા ઇન્ટિમાં પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસો પહેલા કમ્પાઉન્ડની અંદર પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 3.92 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બંને ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.