/connect-gujarat/media/media_files/2025/04/25/DcTCnt43Oxd76FeDbNOb.jpg)
તુલસીધામ નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીમાંથી એક વ્યક્તિ ગુમ
ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલી નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના મકાન નંબર 263માં રહેતા 45 વર્ષીય બળદેવભાઈ ત્રિભુવનભાઈ પ્રજાપતિ તારીખ 29 માર્ચના રોજ સવારે 9:45 વાગ્યે ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. તેઓને છેલ્લે ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે સ્કૂલ નજીક જોવામાં આવ્યા હતામ તેઓ આજ દિન સુધી મળી આવ્યા નથી ત્યારે આ અંગે સી ડિવિઝન પોલીસે મિસિંગ અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. ગુમ થયેલ વ્યક્તિ અંગે જે કોઈને પણ જાણ થાય તેઓએ મોબાઈલ નંબર 9427872845 અને 97142 97979 નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.