ભરૂચ : નિર્ભયાને ન્યાય માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રાજપારડીમાં કેન્ડલ માર્ચ યોજી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી બિરસા મુંડા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી, ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી બિરસા મુંડા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી, ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી દસ વર્ષની બાળકીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે રાજપારડી ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં મીણબત્તી તેમજ બેનર લઈ રાજપારડી બિરસા મુંડા ચોક પર આવ્યા હતા. જ્યાંથી તેઓએ આ કલંકિત ઘટનાને અંજામ આપનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.