ભરૂચ : આર્મીમાં ફરજ બજાવતા ઝઘડીયા-સંજાલીના જવાન નિવૃત્ત થઈ વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સંજાલી ગામમાં રહેતા અને પોતાની સેવા સમાપ્તિ બાદ વતન પરત ફરેલા આર્મી મેનનું રાજપારડી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

New Update

રાજપારડી ચાર રસ્તા ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો

ઝઘડીયા-સંજાલીના જવાન નિવૃત્ત થઈ વતન પરત ફર્યા

જવાન નિવૃત્ત થઈ વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

દેશ માટે સેવા આપવા બદલ લોકોએ શુભેચ્છાઓ પાઠવી

મોટી સંખ્યામાં નગરજનો-પરિવારના સભ્યોની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સંજાલી ગામમાં રહેતા અને પોતાની સેવા સમાપ્તિ બાદ વતન પરત ફરેલા આર્મી મેનનું રાજપારડી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંજાલી ગામના વતની રાજેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ગોહિલએ ઇન્ડિયન આર્મીમાં 2007માં જોઈનીગ કર્યું હતું.

તેઓએ મહારાષ્ટ્રરાજસ્થાનહરિયાણાજમ્મુ-કાશ્મીરલેહ-લદાખ સહિતના અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી છે. UNની અલગ અલગ દેશની આર્મી સાથે સાઉથ આફ્રિકામાં પણ તેઓ સેવા આપી ચૂક્યા છેત્યારે આર્મીમાં ફરજ બજાવતા ઝઘડીયા-સંજાલીના જવાન નિવૃત્ત થઈ વતન પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ આર્મીમેનને ફુલહાર પહેરાવી દેશ માટે સેવા આપવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

 

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.