ભરૂચ: આતંકી હુમલાને લઈ ભાજપ દ્વારા યોજાનાર તમામ કાર્યક્રમો રદ્દ, અંકલેશ્વરમાં યોજાનાર હતું યુવા સંમેલન

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટનાને લઈને ભરૂચ- અંકલેશ્વરમાં ભાજપ દ્વારા યોજાનાર તમામ કાર્યક્રમો રદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

New Update
Screenshot_2025-04-23-10-00-32-96_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટનાને લઈને ભરૂચ- અંકલેશ્વરમાં ભાજપ દ્વારા યોજાનાર તમામ કાર્યક્રમો રદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisment
જમ્મુ કશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાની નીંદનીય ઘટના બની છે જેમાં 27 પ્રવાસીઓના મોત નિપજ્યા છે ત્યારે દુઃખદ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ દ્વારા આજરોજ અંકલેશ્વરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય વક્તા તરીકે ભરત ડાંગર ઉપસ્થિત રહેનાર હતા જોકે આતંકી ઘટનાને લઈને ભાજપ દ્વારા યુવા સંમેલન સહિતના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. આ અંગે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણાએ જણાવ્યું હતું કે અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકી હુમલો થયો છે અને પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો છે ત્યારે પાર્ટી દ્વારા યુવા સંમેલન સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
Advertisment
Latest Stories