ભરૂચ: જંબુસરમાં વૃદ્ધ પર આખલાએ હુમલો કરતા શરીરે 6 ફ્રેક્ચર, સારવાર અર્થે ખસેડાયા

ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરમાં આખલાએ 70 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • ખાનપુરી ભાગોળ વિસ્તારમાં હુમલો

  • આખલાએ વૃદ્ધ પર હુમલો કર્યો

  • વૃદ્ધને શરીરે 6 ફ્રેક્ચર

  • રખડતા ઢોર પકડવાની માંગ

Advertisment W3.CSS
ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરમાં આખલાએ 70 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે.જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા 70 વર્ષીય મૂર્તુજા સૈયદ નામના વૃદ્ધ પર આખલાએ હુમલો કર્યો હતો જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધને આખલાના હુમલામાં શરીરે છ ફ્રેક્ચર થયા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવાના દાવા કરવામાં આવે છે. આમ છતા રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા ઢોર પકડવા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા સહિત વધુ એક ST બસ ફાળવવા ગ્રામજનોની રજૂઆત...

ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...

New Update
  • ઝઘડિયાના હરીપુરા અને આસપાસના ગ્રામજનોને હાલાકી

  • હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી

  • બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને પણ બસની અગવડ

  • વધુ એક બસની ફાળવણી કરવાના આવે તેવી માંગ કરાય

  • જાગૃત ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે જાગૃત ગ્રામજનોએ સાંસદને મૌખિક રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ સવારે રાજપીપલાથી આવતી બસ મુસાફરોથી ભરેલી હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચઝઘડિયા અને રાજપારડી અભ્યાસ કરવા જવા માટે મુશ્કેલી પડે છે. જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કેરાજપીપલાથી ભરૂચ માટે બસ તો આવે છે. પણ બસમાં વધુ મુસાફરો હોવાથી સીટ ખાલી હોતી નથી. જેથી બસ સ્ટેન્ડ પર બસને ઉભી રાખવામાં આવતી નથી. જેના કારણે રોજ અપ-ડાઉન કરતા હરીપુરારાજપરાઉચ્છબ અને રૂપાણીયા ગામ મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેથી વધુ એક બસ શરૂ કરવા માટે તેમજ હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત કરવામાં આવી છે.