ભરૂચ: ભારે પવનમાં કેળા-કેરીનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો !

ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતા અંકલેશ્વરમા ભારે પવન સાથે વરસેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે

New Update
  • ભારે પવન અને વરસાદે ભારે કરી

  • કેળા અને કેરીનો પાક થયો જમીનદોસ્ત

  • કાંઠા વિસ્તારના ગામોમાં વ્યાપક નુકશાન

  • ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો

  • સરકાર પાસે મદદની આસ

ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતા અંકલેશ્વરમા ભારે પવન સાથે વરસેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે
ભરૂચ જિલ્લો ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતો છે. સીઝનની શરૂઆતમાંજ કુદરતની થપાટે આ બે પાકની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે.અંકલેશ્વર પટ્ટીના ખેડૂતો મુખ્યત્વે આ બે પાક ઉપર આધારિત છે. સોમવારની સાંજે ફૂંકાયેલા અચાનક જોરદાર પવનને ખેડૂતોના સપનાઓને ચકનાચૂર  કરી નાખ્યા છે.અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં કેળના સેકડો છોડ પવનમાં ધરાશાયી થઈ ગયા છે.
બીજી તરફ દીવા રોડ ઉપર આવેલા ઘણા કેરીના વૃક્ષો પરથી કેરીઓ જમીન પર પડી ગઈ છે જેનો ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે.સેંકડો હેક્ટર જમીનમાં ઊભા પાકને નુકશાન પહોંચતાં ખેડૂતો રાતાપાણીએ રડી રહ્યા છે. હજુ તો આ કુદરતી વિપત્તિથી બહાર આવે તે પહેલા  તંત્ર તરફથી આગામી ત્રણ દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.કુદરતી આફત સામે લડી રહેલા  ખેડૂતો સરકાર તરફ રાહત અને સહાયની આશ લગાવી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.