ભરૂચ: ભારે પવનમાં કેળા-કેરીનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો !

ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતા અંકલેશ્વરમા ભારે પવન સાથે વરસેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે

New Update
  • ભારે પવન અને વરસાદે ભારે કરી

  • કેળા અને કેરીનો પાક થયો જમીનદોસ્ત

  • કાંઠા વિસ્તારના ગામોમાં વ્યાપક નુકશાન

  • ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો

  • સરકાર પાસે મદદની આસ

Advertisment
ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતા અંકલેશ્વરમા ભારે પવન સાથે વરસેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે
ભરૂચ જિલ્લો ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતો છે. સીઝનની શરૂઆતમાંજ કુદરતની થપાટે આ બે પાકની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે.અંકલેશ્વર પટ્ટીના ખેડૂતો મુખ્યત્વે આ બે પાક ઉપર આધારિત છે. સોમવારની સાંજે ફૂંકાયેલા અચાનક જોરદાર પવનને ખેડૂતોના સપનાઓને ચકનાચૂર  કરી નાખ્યા છે.અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં કેળના સેકડો છોડ પવનમાં ધરાશાયી થઈ ગયા છે.
બીજી તરફ દીવા રોડ ઉપર આવેલા ઘણા કેરીના વૃક્ષો પરથી કેરીઓ જમીન પર પડી ગઈ છે જેનો ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે.સેંકડો હેક્ટર જમીનમાં ઊભા પાકને નુકશાન પહોંચતાં ખેડૂતો રાતાપાણીએ રડી રહ્યા છે. હજુ તો આ કુદરતી વિપત્તિથી બહાર આવે તે પહેલા  તંત્ર તરફથી આગામી ત્રણ દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.કુદરતી આફત સામે લડી રહેલા  ખેડૂતો સરકાર તરફ રાહત અને સહાયની આશ લગાવી રહ્યા છે.
Advertisment
Latest Stories