ભરૂચ: ભારે પવનમાં કેળા-કેરીનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો !

ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતા અંકલેશ્વરમા ભારે પવન સાથે વરસેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે

New Update
  • ભારે પવન અને વરસાદે ભારે કરી

  • કેળા અને કેરીનો પાક થયો જમીનદોસ્ત

  • કાંઠા વિસ્તારના ગામોમાં વ્યાપક નુકશાન

  • ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો

  • સરકાર પાસે મદદની આસ

ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતા અંકલેશ્વરમા ભારે પવન સાથે વરસેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે
ભરૂચ જિલ્લો ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના  પાક માટે રાજ્યભરમાં જાણીતો છે. સીઝનની શરૂઆતમાંજ કુદરતની થપાટે આ બે પાકની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે.અંકલેશ્વર પટ્ટીના ખેડૂતો મુખ્યત્વે આ બે પાક ઉપર આધારિત છે. સોમવારની સાંજે ફૂંકાયેલા અચાનક જોરદાર પવનને ખેડૂતોના સપનાઓને ચકનાચૂર  કરી નાખ્યા છે.અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં કેળના સેકડો છોડ પવનમાં ધરાશાયી થઈ ગયા છે.
બીજી તરફ દીવા રોડ ઉપર આવેલા ઘણા કેરીના વૃક્ષો પરથી કેરીઓ જમીન પર પડી ગઈ છે જેનો ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે.સેંકડો હેક્ટર જમીનમાં ઊભા પાકને નુકશાન પહોંચતાં ખેડૂતો રાતાપાણીએ રડી રહ્યા છે. હજુ તો આ કુદરતી વિપત્તિથી બહાર આવે તે પહેલા  તંત્ર તરફથી આગામી ત્રણ દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.કુદરતી આફત સામે લડી રહેલા  ખેડૂતો સરકાર તરફ રાહત અને સહાયની આશ લગાવી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.