ભરૂચ: ભાજપ દ્વારા 14 મંડલોમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનની કરાશે ઉજવણી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે.

New Update
brc bjpp

દેશના  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે

અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહવાહન કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાશે. જેના આયોજન સંદર્ભે શહેરના કસક વિસ્તારમાં આવેલ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,જિલ્લા ભાજપના પ્રભારી અશોક પટેલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,મહામંત્રી નિરલ પટેલ,વિનોદ પટેલ અને ફતેસિંહ ગોહિલ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી તમામ 14 મંડલોમાં તિરંગા યાત્રાનું આયોજન કરાશે, સાથે જ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટાભાગના તમામ ઘર પર દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવાશે. રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા તેઓએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે.
Latest Stories