ભરૂચ: ભાજપના યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા

ભાજપ યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વતંત્રતા પર્વની કરાય આગોતરી ઉજવણી

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • ભાજપના યુવા મોરચા દ્વારા યાત્રા યોજાય

  • મોટી સંખ્યમાં કાર્યકરો-વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા  ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશદાઝની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી જે.બી. કોલેજના પ્રાંગણમાંથી પ્રારંભ થઈ કસક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી.
રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા મોરચના કાર્યકરો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories