ભરૂચ: ચૈતર વસાવાએ રાજપારડીથી ઝઘડિયા સુધી 13 KMની કરી પદયાત્રા, વિવિધ મુદ્દે નોંધાવ્યો વિરોધ

ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપારડી થી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિરોધ નોંધાવાયો

  • રાજપારડીથી ઝઘડિયા સુધી કરી પદયાત્રા

  • ગેરકાયદેસર રેતી ખનનનો વિરોધ

  • બિસ્માર માર્ગોના સમારકામની માંગ

  • માંગ ન સંતોષાય તો કલેકટર કચેરીના ઘેરાવાની ચીમકી

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભરૂચના રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિવિધ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપારડી થી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના અનેક બનાવો બને છે ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા માર્ગોનું  હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે.
આ ઉપરાંત ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી ન અપાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સાત દિવસમાં પદયાત્રા થકી ઝઘડિયાથી નેશનલ હાઇવે નંબર 48 થઈ ભરૂચ કલેકટર કચેરીનો ઘેરાવો કરવાની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

Latest Stories