ભરૂચ: આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય ખોલ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ !

ભરૂચની આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય શરૂ કર્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના 16 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

New Update
  • ભરૂચના આમોદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

  • મામલતદાર ઓફિસમાં કરાયા ધરણા

  • મામલતદાર કચેરીમાં ભાજપે કાર્યાલય ખોલ્યું હોવાના આક્ષેપ

  • પોલીસે 16 કાર્યકરોની કરી અટકાયત

  • કોંગ્રેસની કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી

Advertisment
ભરૂચની આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય શરૂ કર્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના 16 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ભરૂચની આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી પી.ડબલ્યુ.ડી.ની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવ્યા હોવાના આક્ષેપો કરી કોંગ્રેસે મામલતદારને લેખીત તેમજ મૌખિક રજુઆત કરી હતી.છતાં તંત્ર તરફથી કોઈ જવાબ નહી મળતા આમોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ  તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા પ્રદર્શન કરતાં પોલીસે ૧૬ કાર્યકરોની અટકાયત કરી છોડી મુક્યા હતાં.આ સમગ્ર મામલે કોંગ્રેસે કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Advertisment
Latest Stories