ભરૂચ: કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી

New Update

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

સ્વ.રાજીવ ગાંધીને પુષ્પાજલી અર્પણ કરાય

રાજીવ ગાંધીના બલિદાનને યાદ કરાયુ

કોંગ્રેસના આગેવાનો જોડાયા

ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ,શહેર પ્રમુખ હરેશ પરમાર, આગેવાન જયકાંત પટેલ,ઝુબેર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.