ભરૂચ: કોંગ્રેસ દ્વારા પૂર્વ PM સ્વ.મનમોહનસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા !

ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરના મધ્યમમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાંઆવી

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • પૂવ પી.એમ.ડો.મનમોહન સિંહને શ્રધ્ધાંજલી અર્પણ કરાય

  • પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરાયા

  • કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

  • ડો.મનમોહન સિંહના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરના મધ્યમમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાંઆવી હતી.
સ્વ ડૉ. મનમોહન સિંહે દેશ માટે આપેલ યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ હરેશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, નાઝુ ફડવાલા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ શ્રદ્ધાંજલિ આપી હતી.
Read the Next Article

ભરૂચ: દાંડિયા બજારમાં યુવાને મિલકતના ઝઘડામાં ગળુ કાપી આપઘાતનો કર્યો પ્રયાસ, ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસરડાયો

ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચના દાંડિયા બજારનો બનાવ

  • યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

  • ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો

  • મિલકતના ઝઘડામાં જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં મિલ્કતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે.
ભરૂચના દાંડિયાબજારમાં મિલ્કતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.
હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.