ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રીક્ષામાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, રૂ.3.34 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ

પોલીસે બાતમીવાળી રિક્ષા સાથે 4 ઇસમોને ઝડપી પાડી રીક્ષાની તલાસી લેતા  રૂ.1.23 લાખની કિંમતના વિદેશી દારૂના  23 બોક્સ, 2 રીક્ષા અને 3 મોબાઈલ મળી રૂ.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
smuggling Liquor
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ ભરૂચ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે - અગાઉ વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ હસમુખ રાઠોડ અને સાદીક શેખ નેશનલ હાઇવે ઉપર મીણીયા થેલાના પાર્સલોમાં વિદેશી દારૂ ઉતારી ઓટો રીક્ષાઓ મારફતે ભરુચ શહેરમાં ઘુસાડનાર છે જે બાતમીના આધારે પોલીસે જીએનએફનસી ઓવરબ્રિજ નજીક બાતમીવાળી રીક્ષા નંબર GJ-06-AW-4978 તથા GJ-16-AT-3550 સાથે 4 ઇસમોને ઝડપી પાડી રીક્ષાની તલાસી લેતા  રૂ.1.23 લાખની કિંમતના વિદેશી દારૂના  23 બોક્સ, 2 રીક્ષા અને 3 મોબાઈલ મળી રૂ.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આ મામલામાં હસમુખ રમેશભાઇ રાઠોડ રહે.મ.નં.૭૩/૨ સંતોષી વસાહત, સાદીક સલીમ શેખ રહે.કસક અપ્સરા એપાર્ટમેન્ટની ઝુપડપટ્ટી , રજાક નસરુદ્દીન દીવાન  રહે.કરમાડ ગામ નવી નગરી અને અબ્દુલ મુનાફ અબ્દુલ સત્તાર મેમણ રહે.મ.નં.૭૪/૩ સંતોષી વસાહતની ધરપકડ કરી છે જ્યારે આરોપી કૃણાલ પરમાર રહે.આશ્રય સોસાયટીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.