ભરૂચ : દહેજ ગ્રામ પંચાયતને બિરલા કોપર કંપની દ્વારા રૂ. 35 લાખના રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીનની ભેટ અપાય...

દહેજ ગ્રામ પંચાયત દ્વારા રોબોટિક ક્લીનર માટે રજૂ કરાયેલી માંગના પરિણામે, બિરલા કોપર કંપનીએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ યંત્ર ઉપલબ્ધ કરાવ્યું

New Update
  • માનવ જીવના જોખમ વિના ડ્રેનેજ સફાઈની કામગીરી સંભવ

  • દહેજ ગ્રામ પંચાયતને બિરલા કોપર દ્વારા અનોખી ભેટ અપાય

  • રૂ. 35 લાખના રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીનનું લોકાર્પણ

  • રોબોટિક ટેક્નોલોજીથી દહેજ પંથકમાં ડ્રેનેજની સાફસફાઈ કરાશે

  • કંપનીના કર્મચારીઓસરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના દહેજની હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ.ની યુનિટ બિરલા કોપરકંપનીદ્વારાCSR અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને રૂ. 35 લાખની અદ્યતન રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીન ભેટમાં મળતા કંપનીના અધિકારીઓ તથા દહેજના સરપંચની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારની ડ્રેનેજ સફાઈ કાર્ય દરમિયાન કામદારોને જીવના જોખમે મેનહોલમાં ઉતારવાની ફરજ પડતી હતીઅને ભૂતકાળમાં દુર્ઘટનાઓના અનેક બનાવો પણ સામે આવ્યા હતા. દહેજ ગ્રામ પંચાયત દ્વારા રોબોટિક ક્લીનર માટે રજૂ કરાયેલી માંગના પરિણામેબિરલા કોપર કંપનીએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ યંત્ર ઉપલબ્ધ કરાવ્યું છે.

દહેજની હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ.ની યુનિટ બિરલા કોપરકંપનીદ્વારાCSR અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને રૂ. 35 લાખની અદ્યતન રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીન ભેટમાં મળતા કંપનીના અધિકારીઓ તથા દહેજના સરપંચની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવીન મશીન દ્વારા હવે મેનહોલની અંદર ઉતર્યા વિના સફાઈ કાર્ય તેમજ અંદરના કચરાનું નિરીક્ષણ શક્ય બનશે.

અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની સાફસફાઈ માટે આ મશીન મહત્વપૂર્ણ સાધન સાબિત થશેઅને શ્રમજીવીઓ માટે સલામત કાર્ય પરિસ્થિતિ ઉભી કરશે. આ પ્રસંગે બિરલા કોપર યુનિટ હેડ કે. કુમારવેલ, HR હેડ ઉદિતાભ મિશ્રા, CSR હેડ મૌલિક પરમાર તથા ટીમ બિરલા કોપરદહેજ સરપંચ જયદિપસિંહ રણા સહિત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.