ભરૂચ : દહેજ ગ્રામ પંચાયતને બિરલા કોપર કંપની દ્વારા રૂ. 35 લાખના રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીનની ભેટ અપાય...

દહેજ ગ્રામ પંચાયત દ્વારા રોબોટિક ક્લીનર માટે રજૂ કરાયેલી માંગના પરિણામે, બિરલા કોપર કંપનીએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ યંત્ર ઉપલબ્ધ કરાવ્યું

New Update
  • માનવ જીવના જોખમ વિના ડ્રેનેજ સફાઈની કામગીરી સંભવ

  • દહેજ ગ્રામ પંચાયતને બિરલા કોપર દ્વારા અનોખી ભેટ અપાય

  • રૂ. 35 લાખના રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીનનું લોકાર્પણ

  • રોબોટિક ટેક્નોલોજીથી દહેજ પંથકમાં ડ્રેનેજની સાફસફાઈ કરાશે

  • કંપનીના કર્મચારીઓસરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના દહેજની હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ.ની યુનિટ બિરલા કોપર કંપની દ્વારા CSR અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને રૂ. 35 લાખની અદ્યતન રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીન ભેટમાં મળતા કંપનીના અધિકારીઓ તથા દહેજના સરપંચની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારની ડ્રેનેજ સફાઈ કાર્ય દરમિયાન કામદારોને જીવના જોખમે મેનહોલમાં ઉતારવાની ફરજ પડતી હતીઅને ભૂતકાળમાં દુર્ઘટનાઓના અનેક બનાવો પણ સામે આવ્યા હતા. દહેજ ગ્રામ પંચાયત દ્વારા રોબોટિક ક્લીનર માટે રજૂ કરાયેલી માંગના પરિણામેબિરલા કોપર કંપનીએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ યંત્ર ઉપલબ્ધ કરાવ્યું છે.

દહેજની હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ.ની યુનિટ બિરલા કોપર કંપની દ્વારા CSR અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને રૂ. 35 લાખની અદ્યતન રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીન ભેટમાં મળતા કંપનીના અધિકારીઓ તથા દહેજના સરપંચની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવીન મશીન દ્વારા હવે મેનહોલની અંદર ઉતર્યા વિના સફાઈ કાર્ય તેમજ અંદરના કચરાનું નિરીક્ષણ શક્ય બનશે.

અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની સાફસફાઈ માટે આ મશીન મહત્વપૂર્ણ સાધન સાબિત થશેઅને શ્રમજીવીઓ માટે સલામત કાર્ય પરિસ્થિતિ ઉભી કરશે. આ પ્રસંગે બિરલા કોપર યુનિટ હેડ કે. કુમારવેલ, HR હેડ ઉદિતાભ મિશ્રા, CSR હેડ મૌલિક પરમાર તથા ટીમ બિરલા કોપરદહેજ સરપંચ જયદિપસિંહ રણા સહિત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.