ભરૂચ: દિપક ફાઉન્ડેશન દ્વારા પ્રોજેકટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરતો વર્કશોપ યોજાયો

દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટેલ રંગ લોર્ડસ ઈન ખાતે આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • દિપક ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું

  • પ્રોજેકટ સંગાથ અંતર્ગત વર્કશોપ યોજાયો

  • સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો 

  • જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે રહ્યા ઉપસ્થિત

ભરૂચના દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો  ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્મ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટેલ રંગ લોર્ડસ ઈન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપમાં સરકારી યોજનો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને એસ.ડી.એમ એમ.એન.મનાની,દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડો.આકાશકુમાર લાલ,સંદીપ કટારીયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.