ભરૂચ: દિવાળી નિમિત્તે શ્રી શંકર સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડા-મીઠાઈનું વિતરણ !

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું

New Update

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું

અંધકારમાંથી ઉજાસમાં લઈ જતા પર્વ દિવાળીની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય થકી પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને  કપડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના દાંડિયા બજારમાં આવેલ ભૃગુઋષિ બાળવાટિકાના બાગ ખાતે જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ તેમજ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું
Latest Stories