New Update
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં વીજ પાવર હાઈ વૉલ્ટેજ થઈ જતા અનેક રહીશોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા જેના કારણે તેઓએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો
ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં વીજ ધાંધીયા જોવા મળી રહ્યા છે એવામાં પૂર્વ ભાગમાં ઝાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોએ વીજ કંપનીની બેદરકારીના કારણે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.પુષ્પકુંજ સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો અવાર નવાર લૉ અને હાઇ વોલ્ટેજ થતા લોકોના ફ્રિઝ, એ.સી., સી.સી.ટી.વી. સહિતના વીજ ઉપકરણ ફૂંકાઈ ગયા હતા.જેના કારણે તેઓએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો.સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી નુકશાની પેટે આર્થિક વળતરની માંગ કરી છે.
Latest Stories