ભરૂચ: તુલસીધામ શાકમાર્કેટમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાકમાર્કેટ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

New Update
bharuch 1

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાકમાર્કેટ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

મોડી રાત્રે લાગેલ આગના પગલે  જાનહાની ટળી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનનના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો

Latest Stories