ભરૂચ: સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીએ જાહેરમાં પોતાની પીઠ પર પટ્ટાના સપાટા માર્યા, જુઓ શું છે મામલો

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં સ્વાતંત્રસેનાનીની દીકરીએ ન્યાયની માંગ સાથે પોતાના શરીરને પટ્ટા વડે માર મારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો

New Update
  • ભરૂચના પાંચબત્તી વિસ્તારનો બનાવ

  • મહિલાએ પોતાની પીઠ પર પટ્ટાના સપાટા માર્યા

  • સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીએ સપાટા માર્યા

  • પોલીસે પહોંચી સાંત્વના અપાવી

  • પાડોશી સાથે તકરારની ચર્ચા

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં સ્વાતંત્રસેનાનીની દીકરીએ ન્યાયની માંગ સાથે પોતાના શરીરને પટ્ટા વડે માર મારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મહિલાએ જાહેરમાં પોતાની પીઠ પર  સપાટા મારતા દોડધામ મચી જવા પામી હતીમભરૂચમાં રહેતી ધર્મિષ્ઠા જોશી નામની મહિલાએ પાડોશી સાથે તકરાર અંગે નિરાકરણ ન આવતા જાહેરમાં પોતાને પટ્ટાના સપાટા ઝીંકતા જોવા મળી હતી. મહિલાએ  સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીને ન્યાય અપાવો લખેલ બોર્ડ પહેરી પોતાના જ શરીરે પટ્ટાના સપાટા માર્યા હતા. આ અંગેની જાણ થતાની  સાથે જ મહિલા પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના આવ્યો હતો.પોલીસે મહિલાને અટકાવી સાંત્વના આપતા મામલો થાળે પડ્યો હતો.સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીને ન્યાય મળતો ન હોવાની ફરિયાદ સાથે મહિલાએ આ અંગે આક્રોશ ઠાલવ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર : ભગવાન જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળતા ભક્તો બન્યા ભાવુક

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.

New Update
  • અષાઢી બીજનો પાવન અવસર

  • ભગવાનની નગરચર્યામાં ભક્તો બન્યા ભાવુક

  • જય રણછોડ માખણ ચોરનો ગુંજ્યો જયઘોષ

  • જગતના નાથ સ્વયં ભક્તોના દ્વારે પહોંચ્યા

  • પોલીસના લોખંડી સુરક્ષા કવચ સાથે રથયાત્રાનું આયોજન

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.

અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી જગતના નાથ જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે.વહેલી સવારે ભગવાન જગન્નાથનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ ભગવાન જગન્નાથબહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજીત થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,સ્થાનિક અગ્રણીઓ અને સંતો-ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય જગન્નાથનાં જયઘોષ સાથે રથયાત્રા શરૂ થઈ હતી. જે દીવા રોડજલારામ મંદિરભરૂચીનાકા થઇને ચૌટા નાકાચૌટા બજાર થઇ મુખ્ય બજારો અને શહેરોના અન્ય માર્ગો પર ફરી મોડી સાંજે નીજ મંદિરમાં પરત ફરશે.રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.અને ભગવાન સ્વયં ભક્તોનાં દ્વારે દર્શન આપતા ભક્તો ભાવવિભોર બન્યા હતા.તેમજ મગ,જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.