ભરૂચ : મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત DGVCL દ્વારા માર્ગદર્શન સેમીનાર યોજાયો...

ભરૂચ જિલ્લાના 5 હજારથી વધુ વસ્તી ધરાવતા 26 ગામોના સરપંચ અને તલાટીઓને આ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું...

New Update
  • મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત સેમિનાર યોજાયો

  • દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાર્યક્રમનું આયોજન

  • કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે કરાયું હતું આયોજન

  • 26 ગામના સરપંચ અને તલાટીઓ રહ્યા ખાસ ઉપસ્થિત

  • યોજના વિશે માહિતી આપી ફાયદા અંગે માર્ગદર્શન અપાયું

ભરૂચ જિલ્લાના 26 ગામના સરપંચ અને તલાટીઓને મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે હેતુથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચની કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીની ઉપસ્થિતિમાં મોડેલ સોલાર વિલેજની માહિતી પુરી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 5 હજારથી વધુ વસ્તી ધરાવતા 26 ગામોના સરપંચ અને તલાટીઓને આ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં તાલુકા વિકાસ અધિકારીલીડ બેન્કના અધિકારીકે.પી.સોલારના અધિકારી સહિત અન્ય અધિકારીઓસરપંચો અને તલાટીઓ  ઉપસ્થિત રહ્યા હતા. મોડેલ સોલાર વિલેજ યોજના હેઠળ તા. 01/4/25થી 30/9/25 દરમ્યાન યોજાનાર સ્પર્ધામાં ભાગ લઇ રહેલ ભરૂચ જિલ્લાના 26 ગામોના સરપંચ અને તલાટીઓને યોજનાની વિસ્તૃત માહિતી આપવા સાથે ખર્ચ અને લોન અંગે જાણકારી આપવામાં આવી હતી.

મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ પર સોલાર રૂફટોપ લગાવવા પણ સૂચન કરાયું હતું. આ મોડેલ સોલાર યોજના સ્પર્ધા અંગેDGVCLના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીએ માહિતી આપી હતી.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીમાં મામલામાં 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Chasvad dairy
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના મામલામાં ઝરણા ગામનો કીરણ રણજીતભાઇ વસાવા તથા ભેંસખેતર ગામના કીશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઇ વસાવા તથા જગદીશભાઇ રામાભાઇ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઇ વસાવા તથા જતીન નાનુભાઇ વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયા છે જે બાતમીના આધારે દરોડા પાડતા 6 ઇસમોમી અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનું ઘી દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપીયા મળતા હતા એ તેઓ સરખા ભાગે વહેંચી લેતા હતા.આ મામલામાં ચોરીનું ઘી ખરીદનાર ગોપાલ  ગાંધીની પણ પોલીસે ધરપકડ કરી છે.