ભરૂચ : મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત DGVCL દ્વારા માર્ગદર્શન સેમીનાર યોજાયો...

ભરૂચ જિલ્લાના 5 હજારથી વધુ વસ્તી ધરાવતા 26 ગામોના સરપંચ અને તલાટીઓને આ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું...

New Update
  • મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત સેમિનાર યોજાયો

  • દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાર્યક્રમનું આયોજન

  • કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે કરાયું હતું આયોજન

  • 26 ગામના સરપંચ અને તલાટીઓ રહ્યા ખાસ ઉપસ્થિત

  • યોજના વિશે માહિતી આપી ફાયદા અંગે માર્ગદર્શન અપાયું

ભરૂચ જિલ્લાના 26 ગામના સરપંચ અને તલાટીઓને મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે હેતુથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચની કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીની ઉપસ્થિતિમાં મોડેલ સોલાર વિલેજની માહિતી પુરી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 5 હજારથી વધુ વસ્તી ધરાવતા 26 ગામોના સરપંચ અને તલાટીઓને આ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં તાલુકા વિકાસ અધિકારીલીડ બેન્કના અધિકારીકે.પી.સોલારના અધિકારી સહિત અન્ય અધિકારીઓસરપંચો અને તલાટીઓ  ઉપસ્થિત રહ્યા હતા. મોડેલ સોલાર વિલેજ યોજના હેઠળ તા. 01/4/25થી 30/9/25 દરમ્યાન યોજાનાર સ્પર્ધામાં ભાગ લઇ રહેલ ભરૂચ જિલ્લાના 26 ગામોના સરપંચ અને તલાટીઓને યોજનાની વિસ્તૃત માહિતી આપવા સાથે ખર્ચ અને લોન અંગે જાણકારી આપવામાં આવી હતી.

મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ પર સોલાર રૂફટોપ લગાવવા પણ સૂચન કરાયું હતું. આ મોડેલ સોલાર યોજના સ્પર્ધા અંગેDGVCLના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીએ માહિતી આપી હતી.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.