ભરૂચ : હનુમાન ચાલીસા કેન્દ્ર અભિયાન વધુ તેજ કરાશે, દર મંગળ-શનિવારે પાઠ કરવા આહ્વાન : AHP અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મુકતા અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી

New Update
  • AHPના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ભરૂચ મુલાકાત

  • ડો. પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાય

  • હનુમાન ચાલીસા કેન્દ્રોનું અભિયાન તેજ બનાવવાનું કાર્ય

  • દર મંગળ-શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા આહ્વાન

  • મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતી 

ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી. દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવા તેઓએ આહ્વાન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતીજ્યાં તેઓએ હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મુકતા અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને તેઓએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદરાષ્ટ્રીય બજરંગ દળરાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતના સંગઠનો દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્રોનું અભિયાન તેજ બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છેત્યારે ડો. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કેપ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે.

દેશભરમાં અત્યારે આવા હજારો કેન્દ્રો કાર્યરત છેઅને હવે ભરૂચમાં પણ તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. આ કેન્દ્રો હિન્દુ સમાજની સુરક્ષાસમૃદ્ધિ અને સન્માન જાળવવામાં પાયાની ભૂમિકા ભજવશે. તેમના મતેઆ કાર્ય હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવાનું અને લોકોને પોતાની સંસ્કૃતિ તથા મૂળ સાથે જોડી રાખવાનું સબળ માધ્યમ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ભરૂચ મુલાકાત દરમ્યાન મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories