ભરૂચ: હોમગાર્ડ દ્વારા અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા  મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • હોમગાર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ

  • વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

  • મૌન પાળી-મીણબત્તી પ્રજ્વલિત કરવામાં આવી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા દિવંગતોને ભરૂચ હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા  મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડર સંજય કાયસ્થ તથા ઓફિસર કમાન્ડર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ હોમગાર્ડ યુનિટના જવાનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આત્માઓ માટે મૌન પાળી, મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.ઘટનાના દર્દભર્યા પળોમાં સમાજના સુરક્ષા દળે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની ઘડીમાં એકતાનો સંદેશ આપ્યો હતો. 
Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.