ભરૂચ: હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના નવા ભવનનો પ્રારંભ, શુભેરછકો રહ્યા ઉપસ્થિત

ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે આમંત્રીતો અને શુભેરછકો ઉપસ્થિત રહ્યા

New Update
  • ભરૂચમાં આવેલી છે ક્રેડિટ સોસા.

  • હરસિદ્ધિ ક્રેડિટ સોસા.ના નવા ભવનનો પ્રારંભ

  • રજત જયંતિ વર્ષ પ્રસંગે પ્રારંભ કરાયો

  • 25 વર્ષ અગાઉ ક્રેડિટ સોસા.ની થઈ હતી શરૂઆત

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે આમંત્રીતો અને શુભેરછકો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ થયો છે.25 વર્ષ અગાઉ ધી હરસિધ્ધિ કો.ઓ.ક્રેડીટ સોસાયટીનો અક્ષય તૃતિયાના શુભદિને કસક વડીલોનુ ઘર ખાતે શુભારંભ થયો હતો.સહકારી સેવાકીય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારના શ્રમજીવી લાભાર્થીઓના શુભાષિશ અને પરમાત્માની વિષેશ કૃપાથી અક્ષયતૃતિયાના શુભ દિને 30 એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં હરસિધ્ધિની સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્ષસ બીઝનેશ હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો છે.
નવા ભવનમાં મંગળ પ્રવેશ પ્રસંગે માતૃશ્રી ગં.સ્વ. 93 વર્ષીય મનુબા કેસરીસિંહ વાંસિઆના હસ્તે દીપ પ્રાગટય કરાયું. જે બાદ ચેરમેન ખુમાનસિંહ વાંસિઆ, વાઇસ ચેરમેન પી.ડી.પટેલ, ધર્મેશ શાહ, ડી.બી.સીંગ અને બોર્ડ ઓફ ડીરેક્ટરોની ઉપસ્થિતિમાં મંગલ પ્રવેશ કરાયો. જેમાં અભેસિંહ રાઠોડ, મારૂતીસિંહ અટોદરીયા, નરેશ ઠક્કર,કિરીટસિંહ રણા, સુરેશ પટેલ,સત્યેન્દ્ર આહીર, મોતી પરમાર,અલ્પાબેન ભટ્ટ જોડાયા. 
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.