ભરૂચ: હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના નવા ભવનનો પ્રારંભ, શુભેરછકો રહ્યા ઉપસ્થિત

ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે આમંત્રીતો અને શુભેરછકો ઉપસ્થિત રહ્યા

New Update
  • ભરૂચમાં આવેલી છે ક્રેડિટ સોસા.

  • હરસિદ્ધિ ક્રેડિટ સોસા.ના નવા ભવનનો પ્રારંભ

  • રજત જયંતિ વર્ષ પ્રસંગે પ્રારંભ કરાયો

  • 25 વર્ષ અગાઉ ક્રેડિટ સોસા.ની થઈ હતી શરૂઆત

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે આમંત્રીતો અને શુભેરછકો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ થયો છે.25 વર્ષ અગાઉ ધી હરસિધ્ધિ કો.ઓ.ક્રેડીટ સોસાયટીનો અક્ષય તૃતિયાના શુભદિને કસક વડીલોનુ ઘર ખાતે શુભારંભ થયો હતો.સહકારી સેવાકીય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારના શ્રમજીવી લાભાર્થીઓના શુભાષિશ અને પરમાત્માની વિષેશ કૃપાથી અક્ષયતૃતિયાના શુભ દિને 30 એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં હરસિધ્ધિની સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્ષસ બીઝનેશ હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો છે.
નવા ભવનમાં મંગળ પ્રવેશ પ્રસંગે માતૃશ્રી ગં.સ્વ. 93 વર્ષીય મનુબા કેસરીસિંહ વાંસિઆના હસ્તે દીપ પ્રાગટય કરાયું. જે બાદ ચેરમેન ખુમાનસિંહ વાંસિઆ, વાઇસ ચેરમેન પી.ડી.પટેલ, ધર્મેશ શાહ, ડી.બી.સીંગ અને બોર્ડ ઓફ ડીરેક્ટરોની ઉપસ્થિતિમાં મંગલ પ્રવેશ કરાયો. જેમાં અભેસિંહ રાઠોડ, મારૂતીસિંહ અટોદરીયા, નરેશ ઠક્કર,કિરીટસિંહ રણા, સુરેશ પટેલ,સત્યેન્દ્ર આહીર, મોતી પરમાર,અલ્પાબેન ભટ્ટ જોડાયા. 
Advertisment
Latest Stories