ભરૂચ: હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના નવા ભવનનો પ્રારંભ, શુભેરછકો રહ્યા ઉપસ્થિત

ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે આમંત્રીતો અને શુભેરછકો ઉપસ્થિત રહ્યા

New Update
  • ભરૂચમાં આવેલી છે ક્રેડિટ સોસા.

  • હરસિદ્ધિ ક્રેડિટ સોસા.ના નવા ભવનનો પ્રારંભ

  • રજત જયંતિ વર્ષ પ્રસંગે પ્રારંભ કરાયો

  • 25 વર્ષ અગાઉ ક્રેડિટ સોસા.ની થઈ હતી શરૂઆત

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે આમંત્રીતો અને શુભેરછકો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રજતજયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ થયો છે.25 વર્ષ અગાઉ ધી હરસિધ્ધિ કો.ઓ.ક્રેડીટ સોસાયટીનો અક્ષય તૃતિયાના શુભદિને કસક વડીલોનુ ઘર ખાતે શુભારંભ થયો હતો.સહકારી સેવાકીય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારના શ્રમજીવી લાભાર્થીઓના શુભાષિશ અને પરમાત્માની વિષેશ કૃપાથી અક્ષયતૃતિયાના શુભ દિને 30 એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં હરસિધ્ધિની સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્ષસ બીઝનેશ હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો છે.
નવા ભવનમાં મંગળ પ્રવેશ પ્રસંગે માતૃશ્રી ગં.સ્વ. 93 વર્ષીય મનુબા કેસરીસિંહ વાંસિઆના હસ્તે દીપ પ્રાગટય કરાયું. જે બાદ ચેરમેન ખુમાનસિંહ વાંસિઆ, વાઇસ ચેરમેન પી.ડી.પટેલ, ધર્મેશ શાહ, ડી.બી.સીંગ અને બોર્ડ ઓફ ડીરેક્ટરોની ઉપસ્થિતિમાં મંગલ પ્રવેશ કરાયો. જેમાં અભેસિંહ રાઠોડ, મારૂતીસિંહ અટોદરીયા, નરેશ ઠક્કર,કિરીટસિંહ રણા, સુરેશ પટેલ,સત્યેન્દ્ર આહીર, મોતી પરમાર,અલ્પાબેન ભટ્ટ જોડાયા. 
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.