ભરૂચ: જંબુસર તાલુકા પંચાયતનું રૂ.103 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજુર

ભરૂચની જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તો સાથે જ વન ઇલેક્શન પ્રસ્તાવને પણ રજૂ કરવામાં આવ્યો હતો.

New Update
  • જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી

  • વર્ષ 2025-26નું બજેટ કરાયુ રજૂ

  • રૂ.103 કરોડના બજેટને મંજૂરી

  • વન નેશનલ વન ઇલેક્શન પ્રસ્તાવ પણ મંજુર

  • કોંગ્રેસના સભ્યોએ પ્રસ્તાવ પર નોંધાવ્યો વિરોધ

ભરૂચની જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તો સાથે જ વન ઇલેક્શન પ્રસ્તાવને પણ રજૂ કરવામાં આવ્યો હતો.

ભરૂચની જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. જંબુસર તાલુકા પંચાયતનું ઐતિહાસિક રૂપિયા 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.આ બેઠકમાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને 16 મત મળતા મંજૂર કરવામાં આવ્યો હતો.આ પ્રસ્તાવમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. બજેટને સર્વાનુમતે મંજૂરી મળતા હવે તાલુકાના વિકાસના કામોને વેગ મળશે તેવો દાવો જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલે કર્યો છે.

Read the Next Article

અંકલેશ્વર: ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • તિરંગા યાત્રાનું આયોજન

  • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે  ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા