ભરૂચ: જંબુસરના કારેલી ગામે યુવાન પરિણીતાને ભગાડી જતા માથાકૂટ, પરિણીતાના પરિવારજનોએ યુવાનના ઘરમાં કરી તોડફોડ

ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજનો યુવાન દરબાર સમાજની પરણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાતા રાત્રીના સમયે ફુલમાળી સમાજના પાંચ ઘરમા

New Update
  • ભરૂચના જંબુસરના કારેલી ગામનો બનાવ

  • યુવાન પરિણીત મહિલાને ભગાડી ગયો

  • પરિણીતાના પરિવારજનોએ કરી માથાકૂટ

  • યુવાનના ઘરે કરી તોડફોડ

  • વેડચ પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજનો યુવાન દરબાર સમાજની પરણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાતા રાત્રીના સમયે ફુલમાળી સમાજના પાંચ ઘરમા તોડફોડ કરી હોવાના તથા બનાવ સંદર્ભે વેડચ પોલીસ મથકે કારેલી ગામના ૬ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજના યુવાન દરબાર સમાજની પરણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો.રાત્રીના આઠ વાગ્યાના અરસામા કારેલી ગામે રહેતા મધુબેન કાળીદાસભાઈ  ફુલમાળી પોતાના ઘરે હતા તે સમયે હેમંતભાઈ ઉર્ફે ભોળાભાઈ તેઓના ઘરે આવી તારો છોકરો મારા કુટુંબી ભાઈ બળવંતભાઈની પત્ની મીનાબેનને લઈ ગયો હોય જેથી તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તેમ કહી હેમંતભાઈએ મધુબેનની છોકરીને એક તમાચો મારીને જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રિના નવ વાગ્યાના અરસામા હેમંતભાઈ ઉર્ફે ભોલાભાઈ પઢીયાર, સુનિલભાઈ પઢીયાર, બળવંતભાઈ પઢીયાર, સોહમભાઈ પઢીયાર, ચિરાગભાઈ પઢીયાર તથા જેસીબી ડ્રાઈવર એક સંપ થઈ ફળિયામાં જેસીબી મશીન લઇ ને ધસી આવ્યા હતા અને મધુબેન તથા ફૂલછળના ભાગે આવેલ શૌચાલય સહિતનુ બાંધકામ જેસીબી મશીન વડે તોડી નાખી અંદાજિત દોઢ લાખ રૂપિયાનું નુકસાન કરી ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે મધુબેન ફુલમાળીએ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ ચૌધરીએ હુમલાખોરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું સંમેલન યોજાયું, તા.2જી જુલાઈએ આંદોલનની જાહેરાત

ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું સંમેલન યોજાયું

  • વિવિધ પ્રશ્ને આંદોલનની કરાય જાહેરાત

  • તા.2જી જુલાઈએ કરાશે વિરોધ પ્રદર્શન

  • વેતન સહિતના પ્રશ્ને કરાશે રજુઆત

ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી
ભરૂચ શક્તિનાથ નજીક  આવેલા લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાની  ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું હતું.મધ્યાહન ભોજન યોજનામાં ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં તેમને માત્ર રૂ. 2500 થી રૂ. 4500 સુધીનું માનદ વેતન મળે છે.
આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, તેના વિરોધરૂપે આગામી 2 જુલાઈ 2025 ના રોજ સમગ્ર દેશમાં જિલ્લાના કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણાં, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે જે અંગેની રણનીતિ આ સંમેલનમાં ઘડવામાં આવી હતી.
Latest Stories