ભરૂચ: જંબુસરના કારેલી ગામે યુવાન પરિણીતાને ભગાડી જતા માથાકૂટ, પરિણીતાના પરિવારજનોએ યુવાનના ઘરમાં કરી તોડફોડ

ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજનો યુવાન દરબાર સમાજની પરણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાતા રાત્રીના સમયે ફુલમાળી સમાજના પાંચ ઘરમા

New Update
  • ભરૂચના જંબુસરના કારેલી ગામનો બનાવ

  • યુવાન પરિણીત મહિલાને ભગાડી ગયો

  • પરિણીતાના પરિવારજનોએ કરી માથાકૂટ

  • યુવાનના ઘરે કરી તોડફોડ

  • વેડચ પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજનો યુવાન દરબાર સમાજની પરણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાતા રાત્રીના સમયે ફુલમાળી સમાજના પાંચ ઘરમા તોડફોડ કરી હોવાના તથા બનાવ સંદર્ભે વેડચ પોલીસ મથકે કારેલી ગામના ૬ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજના યુવાન દરબાર સમાજની પરણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો.રાત્રીના આઠ વાગ્યાના અરસામા કારેલી ગામે રહેતા મધુબેન કાળીદાસભાઈ  ફુલમાળી પોતાના ઘરે હતા તે સમયે હેમંતભાઈ ઉર્ફે ભોળાભાઈ તેઓના ઘરે આવી તારો છોકરો મારા કુટુંબી ભાઈ બળવંતભાઈની પત્ની મીનાબેનને લઈ ગયો હોય જેથી તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તેમ કહી હેમંતભાઈએ મધુબેનની છોકરીને એક તમાચો મારીને જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રિના નવ વાગ્યાના અરસામા હેમંતભાઈ ઉર્ફે ભોલાભાઈ પઢીયાર, સુનિલભાઈ પઢીયાર, બળવંતભાઈ પઢીયાર, સોહમભાઈ પઢીયાર, ચિરાગભાઈ પઢીયાર તથા જેસીબી ડ્રાઈવર એક સંપ થઈ ફળિયામાં જેસીબી મશીન લઇ ને ધસી આવ્યા હતા અને મધુબેન તથા ફૂલછળના ભાગે આવેલ શૌચાલય સહિતનુ બાંધકામ જેસીબી મશીન વડે તોડી નાખી અંદાજિત દોઢ લાખ રૂપિયાનું નુકસાન કરી ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે મધુબેન ફુલમાળીએ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ ચૌધરીએ હુમલાખોરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment