ભરૂચ: કલરવ સંસ્થાનો દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ,તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ

કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે

New Update
  • કલરવ સ્કૂલનો સ્તુત્ય પ્રયાસ

  • દિવ્યાંગ બાળકોને બનાવે છે આત્મનિર્ભર

  • તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ

  • રક્ષાબંધન પર્વ નિમત્તે બનાવે છે રાખડી

  • દિવ્યાંગ બાળકો બન્યા સ્વાવલંબી

ભરૂચ શહેરની કલરવ સ્કૂલ દ્વારા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અને બાળકો તહેવારોને અનુરૂપ વસ્તુઓ બનાવી સ્વાવલંબી બની રહયા છે.

ભરૂચ શહેરની કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે. બાળકોને દિવાળીના કોડિયાફાઈલ અને હેન્ડમેડ આઈટમ્સ સહિતની વસ્તુઓ બનાવવા તાલીમ આપવામાં આવે છે,અને વસ્તુઓના વેચાણ થકી આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

તાજેતરમાં સંસ્થાએ ફુલવાટ અને આર્ટિફિશિયલ ફૂલોની શેર બનાવવા મશીન પણ વસાવ્યું છેજેના કારણે બાળકો જાતે વસ્તુઓનું ઉત્પાદન કરી વ્યાવસાયિક દિશામાં આગળ વધી શકે છે. સંસ્થાના સ્થાપક નીલા મોદીએ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ આ વિશિષ્ટ બાળકો દ્વારા બનેલી હેન્ડમેડ વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Read the Next Article

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડીયા-ઉમધરાના જવાનનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા

New Update
  • રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ

  • ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ

  • વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

  • જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય

  • દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતાત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છેત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતાજ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.