ભરૂચ: મહારાણા સાંગાને દેશદ્રોહી કહેનાર સાંસદ રામજીલાલ સુમનનું કરણી સેનાએ પૂતળું બાળ્યુ, માફી માંગે એવી માંગ

ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન

  • સપા સાંસદ રામજીલાલ સુમનનું પૂતળું બાળ્યુ

  • સાંસદે મહારાણા સાંગા અંગે કરી હતી ટિપ્પણી

  • સાંસદ માફી માંગે એવી માંગ

ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી રાજા મહારાણા સાંગા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું કરણી સેના દ્વારા સાંસદ રામજી લાલ સુમનનું પૂતળું બાળવામાં આવ્યું હતું. સાથે ભારે સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. કરણી સેનાના આગેવાનોએ આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી.અમે સાંસદ માફી માંગે એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક 'દેશદ્રોહી' હતા, જેણે બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો. આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.