ભરૂચ: મહારાણા સાંગાને દેશદ્રોહી કહેનાર સાંસદ રામજીલાલ સુમનનું કરણી સેનાએ પૂતળું બાળ્યુ, માફી માંગે એવી માંગ

ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન

  • સપા સાંસદ રામજીલાલ સુમનનું પૂતળું બાળ્યુ

  • સાંસદે મહારાણા સાંગા અંગે કરી હતી ટિપ્પણી

  • સાંસદ માફી માંગે એવી માંગ

ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી રાજા મહારાણા સાંગા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું કરણી સેના દ્વારા સાંસદ રામજી લાલ સુમનનું પૂતળું બાળવામાં આવ્યું હતું. સાથે ભારે સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. કરણી સેનાના આગેવાનોએ આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી.અમે સાંસદ માફી માંગે એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક 'દેશદ્રોહી' હતા, જેણે બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો. આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.