New Update
ભરૂચમાં સર્કલોનું નવનિકરણ કરાશે
કસક સર્કલનું કરાશે નવીનીકરણ
રૂ.30 લાખના ખર્ચે હાથ ધરાશે કામ
નવીનીકરણના કાર્યનું કરાયુ ભૂમિપૂજન
જે.બી.કેમિકલ્સ અને ન.પા.નો પ્રયાસ
ભરૂચ નગર સેવા સદન અને જે બી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા 30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહનવ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યાં હતાં. મોટાભાગના સર્કલો જર્જરીત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરીયાત ઉભી થઇ હતી. નગરપાલિકાની ગત સામાન્યસભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો. પ્રથમ ચરણમાં પાંચબત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે ત્યારે જે.બી.કેમિકલના પ્રયાસથી રૂ.30 લાખના ખર્ચે નવ નિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જે.બી.કેમિકલ્સના એક્ઝિકયુટીવ વાઇઝ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી,દિપક ઘીવાલા,મુકેશ દેસાઈ, પ્રવિણ મકવાણા,ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કસક ખાતે બની રહેલાં સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઇ જતો હોય છે ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે.
Latest Stories