ભરૂચ: દશાશ્વમેઘ ઘાટ સહિત સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી યોજાય, MLA રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દશાશ્વમેઘ  ઘાટ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા

New Update
  • ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી

  • દશાશ્વમેઘ ઘાટ સહિત સોમનાથ મહાદેવ મંદિરે કરાય ઉજવણી

  • મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા

  • ભાવિકભક્તોએ આરતીની લીધો લાભ

ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દશાશ્વમેઘ  ઘાટ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા
ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નર્મદા નદીના કિનારે આવેલ દશાશ્વમેઘ ઘાટ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે પણ વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહાઆરતી યોજાઈ હતી.
જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને દેવાધિદેવ મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.. 
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.