ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ, બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ

ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે.

New Update

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકર દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી છે

ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકર યોગી પટેલે આ બાબતે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર  નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઇ 2021 થી પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી જ સમયાંતરે આત્મહત્યા અને અકસ્માતના બનાવો વધ્યા છે. નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના 22  અને આત્મહત્યાના પ્રયાસના અત્યાર સુધી 17 જેટલા બનાવ બન્યા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે
#જાળી લગાવવાની માંગ #સ્યુસાઇડ પોઇન્ટ #ભરૂચ #નર્મદા મૈયા #નર્મદા મૈયા બ્રિજ
Here are a few more articles:
Read the Next Article