ભરૂચ: મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતી નિમિતે સ્ટેચ્યુ પાર્ક સ્થિત તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

મહાત્મા ફૂલેની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • આજે જ્યોતિરાવ ફુલેની જન્મજયંતિ

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • ભરૂચમાં પણ કાર્યક્રમનું આયોજન

  • સ્ટેચ્યુ પાર્ક સ્થિત પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા

  • બામસેફ-ઇન્સાફ સંગઠનના આગેવાનો જોડાયા

Advertisment
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે આજે મહાત્મા જયોતિરાવ ફૂલેની જન્મ જયંતી નિમિત્તે બામસેફ-ઇન્સાફ-BMG સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, મહાસચિવ બામસેફ ગુજરાત શાંતિલાલ રાઠોડ,બામસેફ પ્રમુખ ભરૂચ મનિષ પરમાર,ઇન્સાફ સંગઠન રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર, સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રીતોએ મહાત્મા ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના સમાજ સુધારક કાર્યો, શૈક્ષણિક પ્રવૃતિઓ અને સમતાના સંદેશને યાદ કર્યો હતો.
Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment