ભરૂચ: વિશ્વ ટી.બી.દિવસ નિમિત્તે 55 ગ્રામપંચાયતોને ટી.બી.મુક્ત જાહેર કરાય, સરપંચોને સન્માનિત કરાયા

ભરૂચ જિલ્લા પંચાયતના ટી.બી.વિભાગ દ્વારા આજરોજ વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચાયત જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી હતી.

New Update
  • આજે તા.24 માર્ચ વિશ્વ ટી.બી.દિવસ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા યોજાયો કાર્યક્રમ

  • 55 ગ્રામપંચાયતોને ટી.બી.મુક્ત જાહેર કરાય

  • સરપંચોનું કરવામાં આવ્યું સન્માન

ભરૂચ જિલ્લા પંચાયતના ટી.બી.વિભાગ દ્વારા આજરોજ વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચાયત જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી હતી.

તારીખ 24 માર્ચને સમગ્ર વિશ્વમાં ટી.બી. દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1882થી ટીબી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના ટી.બી. વિભાગ દ્વારા આજરોજ ટી.બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટીબી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લાની 55 જેટલી ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે. 6 માપદંડોના આધારે આ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાય છે ત્યારે આ પંચાયતોના સરપંચને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લામાં દર મહિને 1000 જેટલા પેશન્ટને ટીબી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે.આ પેશન્ટોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લામાં કુલ 2984 જેટલા ટી.બી.ના દર્દી  નોંધાયા હતા જેને કયોર કરવામાં તંત્રએ સફળતા મેળવી છે.આવનારા સમયમાં ભરૂચ જિલ્લો ટી.બી.મુક્ત બને તે અંગેના પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ટી.બી. ઓફિસર વાય.એમ. માસ્ટર સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.