-
ભરૂચ નજીક નેશનલ હાઇવેનો બનાવ
-
જુના સરદાર બ્રિજની રેલિંગનો ભાગ ધરાશાયી
-
બ્રિજ વાહનવ્યવહાર અર્થે બંધ કરાયો
-
અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
-
બ્રિજ ઘણા સમયથી છે જર્જરીત હાલતમાં
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયો છે જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાઈક સહિતના નાના વાહનો બ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા પરંતુ ગતરોજ રાત્રિના સમયે એકાએક જ બ્રિજની રેલીનો એક તરફનો ભાગ ધરાસાઈ થઈ ગયો હતો જેના પગલે દોડધામ પામી હતી.આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરી દેવામાં આવ્યો હતોમઅત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્રિજ અત્યંત જર્જરી હાલતમાં થઈ ગયો હતો જેના વિકલ્પના ભાગરૂપે કેબલ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું જેના પરથી હાલ દિલ્હી મુંબઈ વચ્ચેનો વાહન વ્યવહાર પસાર થાય છે.