ભરૂચ :પોલીસ ભરતી માટે શારીરિક કસોટી યોજાશે,તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

ગુજરાત પોલીસમાં 12,472 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં 15 અલગ અલગ ગ્રાઉન્ડ પર આવતી કાલે 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી શારીરિક

New Update

ગુજરાત પોલીસમાં 12,472 જગ્યા પર યોજાશે ભરતી પ્રક્રિયા

રાજ્યમાં 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી યોજાશે

ભરૂચ પોલીસ દ્વારા પણ કરાઈ પૂરતી વ્યવસ્થા

જિલ્લા પોલીસ અધિક્ષકે તૈયારીનું કર્યું નિરીક્ષણ

શારીરિક કસોટી દરમિયાન મેડિકલ ટીમ પણ રહેશે તૈનાત

ગુજરાત પોલીસમાં 12,472 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં 15 અલગ અલગ ગ્રાઉન્ડ પર આવતી કાલે 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે.જેની તમામ તૈયારીઓને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવ્યો છે.આવતી કાલે વહેલી સવારથી ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટસમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતી પ્રક્રિયા યોજાનાર છે.જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશનદોડઊંચાઈ,વજન,છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે.આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા બનાવેલા 384.61 મીટરના ગ્રાઉન્ડમાં ભરતીમાં આવનાર ઉમેદવારોએ તેના 25 મિનિટમાં 13 રાઉન્ડ લગાવીને 5 હજાર મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે.જેમાં આવતીકાલે પ્રથમ દિવસે અંદાજીત 700 ઉમેદવારો આવનાર છે,બીજા દિવસે 1200 અને ત્રીજા દિવસે 1600 ઉમેદવારોની શારીરિક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.આ કામગીરી માટે અધિકારીઓ અને પોલીસકર્મીઓ થઈને કુલ 108 ગ્રાઉન્ડ માટે અને 35 ગ્રાઉન્ડ બહાર ફરજ બજાવશે.

પોલીસ દ્વારા મેડીકલ ટીમ,એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા સરદાર બેરેકમાં પણ તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.