ભરૂચ: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછન,દીકરી સમાન વિદ્યાર્થિની લૂંટી લાજ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

New Update
  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલની કાળી કરતૂત

  • શાળાની વિદ્યાર્થીનીની લૂંટી લાજ

  • પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસ ચોપડે નોંધાઈ ફરિયાદ

  • પોલીસે પોક્સો અને બળાત્કારનો ગુન્હો કર્યો દર્જ

  • પોલીસ ફરિયાદ બાદ નરાધમ પ્રિન્સિપાલ ફરાર 

ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા છે.શહેરની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની લાજ લૂંટી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ હતી.

ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વર્ષ2022થી વર્ષ2024દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

બાળકી શાળાના ધોરણ10માં અભ્યાસ કરતી હતી,ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામીના ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર2024માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી.

ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ વટાવી જતા વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. આ સમય દરમિયાન પ્રિન્સિપાલે કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા. આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોકસો અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઇ ગયા છે.

Read the Next Article

ભરૂચ: JP કોલેજમાં B.SCના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ B.Scના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં આવેલી છે જેપી કોલેજ

  • કોલેજમાં કાર્યક્રમનું કરાયુ આયોજન

  • બી.એસ.સી.ના વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

  • કોલેજના 230 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

  • કોલેજ પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ B.Scના  ફર્સ્ટયરના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ B.Scના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 230 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. એન.બી. પટેલ, વિદ્યાર્થી સંઘના ચેરમેન ડો. દિપક અદ્રોજા , જીમખાના ચેરમેન ડો. જયપાલસિંહ મોરી તથા તમામ પ્રાધ્યાપક મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને કોલેજ અંગે માહિતી આપવામાં આવી તેમજ નવા શૈક્ષણિક વર્ષ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિઝિક્સ વિભાગના પ્રાધ્યાપક પ્રકાશ નાયક દ્વારા કરાયું હતું.