ભરૂચ: ઉંદર પકડવાની જાળ-ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ,કલેકટરે બહાર પાડ્યુ જાહેરનામું

સંયુક્ત પશુપાલન નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તા. ૦૫.૦૯.૨૦૨૩ ના પરિપત્રથી સૂચના  આપવામા આવી છે.

New Update
images (8)aaa

ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

સંયુક્ત પશુપાલન નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તા. ૦૫.૦૯.૨૦૨૩ ના પરિપત્રથી સૂચના  આપવામા આવી છે. જે બાબતે પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ(૧૧) મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ છે. જે અન્વયે ભરૂચ જિલ્લામાં જોગવાઈની ચુસ્તપણે અમલવારી કરવા માટે (ગ્લુટેપ) કે જેને દલુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટેભાગે ઊંદર પકડવા માટે થાય છે.
જ્યારે ઉંદર (ગ્લુટેપ) વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાને મુક્ત કરવામાં અસમર્થ હોય છે, જેને પરિણામે ડિહાઈડ્રેશન, ભૂખમરો. ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાની પધ્ધતિઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈો ભંગ ન કરતી હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે આયંત કુર પધ્ધતિ ના અપનાવવા ઉંદર પકડવા સાફ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતાં વિવિધ એકમીને (ગ્લુટેપ) ના પર ભરૂચ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત સૂચનાઓ નો ભંગ કરનાર સામે પાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ (૧૧) મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 
Latest Stories