ભરૂચ: MBBSના અભ્યાસક્રમમાં તોતિંગ ફી વધારો, આપ દ્વારા વિરોધ નોંધાવાયો

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એંડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ-2024-25 માટે સરકારી-સેલ્ફફાયનાન્સ,મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણમાં લગભગ 67 ટકાથી 88 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે..

New Update
આમ આદમી પાર્ટી ભરુચ જિલ્લા દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એંડ રિસર્ચ સોસાયટી દ્વારા તોતિંગ ફી વધારો રદ્દ કરવા મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું 
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરુચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સહ સ્વનિર્ભર તબીબી કોલેજો શરૂ કરવામાં આવી છે.પરંતુ આ કોલેજોમાં તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એંડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ-2024-25 માટે સરકારી-સેલ્ફફાયનાન્સ,મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણમાં લગભગ 67 ટકાથી 88 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
જેમાં જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા 5.50 લાખ અને મેનેજમેંટ ક્વોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો 3.30 લાખ જનરલ ક્વોટા અને મેનેજમેંટ ક્વોટામાં 9 લાખ લેવામાં આવી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ગણી ઓછી હતી લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBS ની લાયકાત ગત વર્ષે ૧૪.૮૫ લાખથી મેળવતો હતો તે ચાલુ વર્ષે એમ.બી.બી.એસ પૂર્ણ કરતાં 24.75 લાખ ચૂકવશે.જ્યારે મેનેજમેંટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ૪૦.૫૦ લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને એમ.બી.બી.એસ પૂર્ણ કરતાં ૭૬.૫૦ લાખ ચૂકવશે.ત્યારે આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ તબીબી ડિગ્રી મેળવી શકે તેવા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.