ભરૂચ : ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની લોક સુનાવણી યોજાય, સિલિકા પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ...

ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની અંકલેશ્વર GPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય

New Update
  • ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે યોજાય લોક સુનાવણી

  • સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણી

  • અસરગ્રસ્ત ગામોના સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા

  • જાણ કર્યા વિના લોક સુનાવણી યોજાય હોવાનો આક્ષેપ

  • સિલિકા પ્લાન્ટને શરૂ નહીં કરવા બાબતે લોકોનો વિરોધ

 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામોના સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી ગ્રામ પંચાયતની હદમાં ભૂડવા ખાડીના કિનારે પ્રિસાઈસ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ સિલિકા પ્લાન્ટની સ્થાપના બાબતે અંકલેશ્વર GPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય હતી.

જેમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાઅને ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને સિલિકા પ્લાન્ટથી થનાર નુકસાનને ધ્યાને રાખી હાજર તમામ લોકો દ્વારા આ પ્લાન્ટ ન શરૂ કરવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સ્થાનિક આગેવાનોએ પ્રશ્ન ઉઠાવતા આ પ્લાન્ટ જે વિસ્તારમાં સ્થાપવામાં આવશેતે ગ્રામ પંચાયતની ગ્રામસભાના ઠરાવ વિના લોક સુનાવણી રાખવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. વધુમાં અસરગ્રસ્ત ગામોની કેટલીક પંચાયતોમાં જાણ કર્યા વિના લોક સુનાવણી યોજવામાં આવી હોવાનો જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફકાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસે પણ ખડેપગે ફરજ નિભાવી હતી.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.