ભરૂચ : ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની લોક સુનાવણી યોજાય, સિલિકા પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ...

ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની અંકલેશ્વર GPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય

New Update
  • ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે યોજાય લોક સુનાવણી

  • સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણી

  • અસરગ્રસ્ત ગામોના સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા

  • જાણ કર્યા વિના લોક સુનાવણી યોજાય હોવાનો આક્ષેપ

  • સિલિકા પ્લાન્ટને શરૂ નહીં કરવા બાબતે લોકોનો વિરોધ

Advertisment

 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામોના સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી ગ્રામ પંચાયતની હદમાં ભૂડવા ખાડીના કિનારે પ્રિસાઈસ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ સિલિકા પ્લાન્ટની સ્થાપના બાબતે અંકલેશ્વર GPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય હતી.

જેમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાઅને ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને સિલિકા પ્લાન્ટથી થનાર નુકસાનને ધ્યાને રાખી હાજર તમામ લોકો દ્વારા આ પ્લાન્ટ ન શરૂ કરવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સ્થાનિક આગેવાનોએ પ્રશ્ન ઉઠાવતા આ પ્લાન્ટ જે વિસ્તારમાં સ્થાપવામાં આવશેતે ગ્રામ પંચાયતની ગ્રામસભાના ઠરાવ વિના લોક સુનાવણી રાખવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. વધુમાં અસરગ્રસ્ત ગામોની કેટલીક પંચાયતોમાં જાણ કર્યા વિના લોક સુનાવણી યોજવામાં આવી હોવાનો જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફકાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસે પણ ખડેપગે ફરજ નિભાવી હતી.

Advertisment
Read the Next Article

“સમાજની દીકરી સમાજમાં...” : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા 6ઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું...

આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
  • સમાજની દીકરી સમાજમાં જ રહે તેવો ઉમદા ઉદ્દેશ

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા આયોજન

  • આત્મીય હોલમાં જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

  • સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો

  • સન્માનીત ભૂદેવોના સન્માનનું પણ વિશેષ આયોજન

Advertisment

સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનના પ્રારંભે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મોતને ભેટેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના વીર સંપૂતોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પસંદગી સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો હતો.

આ સાથે જ સન્માનિત બ્રહ્મઆગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશીમહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞા રાવલભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશ શુક્લશ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલચેરમેન શૈલેષ દવેબ્રહ્મઅગ્રણી પ્રદીપ રાવલઅનિલ પંડ્યાવિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસભરૂચ શહેર બ્રહ્મસમાજ પ્રમુખ હેમંત શુક્લ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજુ ભટ્ટ તેમજ દિપ્તી ભટ્ટએ કર્યું હતું.

Advertisment