ભરૂચ : ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની લોક સુનાવણી યોજાય, સિલિકા પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ...

ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની અંકલેશ્વર GPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય

New Update
  • ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે યોજાય લોક સુનાવણી

  • સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણી

  • અસરગ્રસ્ત ગામોના સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા

  • જાણ કર્યા વિના લોક સુનાવણી યોજાય હોવાનો આક્ષેપ

  • સિલિકા પ્લાન્ટને શરૂ નહીં કરવા બાબતે લોકોનો વિરોધ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામોના સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી ગ્રામ પંચાયતની હદમાં ભૂડવા ખાડીના કિનારે પ્રિસાઈસ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ સિલિકા પ્લાન્ટની સ્થાપના બાબતે અંકલેશ્વરGPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય હતી.

જેમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાઅને ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને સિલિકા પ્લાન્ટથી થનાર નુકસાનને ધ્યાને રાખી હાજર તમામ લોકો દ્વારા આ પ્લાન્ટ ન શરૂ કરવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સ્થાનિક આગેવાનોએ પ્રશ્ન ઉઠાવતા આ પ્લાન્ટ જે વિસ્તારમાં સ્થાપવામાં આવશેતે ગ્રામ પંચાયતની ગ્રામસભાના ઠરાવ વિના લોક સુનાવણી રાખવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. વધુમાં અસરગ્રસ્ત ગામોની કેટલીક પંચાયતોમાં જાણ કર્યા વિના લોક સુનાવણી યોજવામાં આવી હોવાનો જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફકાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસે પણ ખડેપગે ફરજ નિભાવી હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.