ભરૂચ: ફાંટા તળાવ રાણા પંચ દ્વારા 47 વર્ષોથી બનાવાય છે માવાઘારી, 60 સ્વયંસેવકો જોડાય છે કામગીરીમાં

ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.

New Update
  • ભરૂચમાં ચંદી પડવાની ઉજવણી માટે થનગનાટ

  • રાણા પંચ દ્વારા માવઘારી બનાવવાની પરંપરા

  • 47 વર્ષથી બનાવવામાં આવે છે માવાઘારી

  • 60 સ્વયંસેવકો જોડાય છે કામગીરીમાં

  • ચંદી પડવાના દિવસે આરોગવામાં આવે છે ઘારી

શરદ પુનમ અને ચંદી પડવાની ઊજવણીના થનગનાટ વચ્ચે પરંપરા મુજબ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત ભક્તેશ્વર હોલ ખાતે 'માવા-ઘારી' બનાવવાનો ધમધમાટ જોવા મળ્યો છે.
ભારતીય ઉત્સવો અને તેહવારો સાથે ખાણી-પીણીનો વિશેષ મહિમા જોવા મળે છે. ઉત્તારાયણે જેમ ઉધીંયુ-જલેબી. દશેરાએ ફાફડા-જલેબી અને શરદ પુનમે દૂધ-પૌઆ તે જ રીતે ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.
જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે. રૂ. 660ના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. ઘારીના ભાવમાં પ્રતિકિલોએ 20 રૂપિયાનો વધારો થયો છે.
ભરૂચમાં સૌથી મોટાપાયે ફાટાતળાવ રાણા પંચ દ્વારા છેલ્લા ઘણા  વર્ષોથી માવાઘારીનું વેચાણ કરી સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે. ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે છેલ્લા ઘણા સમયથી રાણા સમાજના આશરે 60 જેટલા સ્વયંસેવક કાર્યકરો શુધ્ધતાથી માવાઘારી બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. 
Latest Stories