ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર શાળામાં રંગોળી-ચિત્ર સ્પર્ધાનું આયોજન,હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી

હર ઘર તિરંગા.અભિયાન અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે ભરૂચની નારાયણ વિધ્યાવિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું

New Update
ભરૂચમાં આવેલી છે નારાયણ વિદ્યાવિહાર શાળા
શાળામાં હર ઘર તિરંગા અભિયાનની કરાય ઉજવણી
ભારત માતાની વિશાળ રંગોળી બનાવાય
વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
આગેવાનો અને શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
ભરુચની નારાયણ વિધ્યા વિહાર  શાળા ખાતે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત રંગોળી અને  ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા.અભિયાન અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે ભરૂચની નારાયણ વિધ્યાવિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
રંગોળી સ્પર્ધાના  ભાગરૂપે 24 બાય 24 ફુટની સાઈઝની ભારત માતાની રંગોળી બનાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના  એજ્યુકેશન ઇસ્પેકટર,દિવ્યેશ પરમાર, શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

ભરૂચ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન, પોલીસ દ્વારા ફૂટપેટ્રોલિંગ યોજાયું

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ભરૂચ પોલીસે ફ્લેગમાર્ચ યોજી

New Update
  • ભરૂચમાં આવતીકાલે રથયાત્રા

  • ફુરજા વિસ્તારમાંથી રથયાત્રા નિકળશે

  • સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય

  • પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ

  • સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર

ભરૂચમાં આવતીકાલે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભરૂચમાં રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ ફ્લેગમાર્ચમાં એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
આ ફ્લેગમાર્ચ દરમિયાન ભરૂચ  DYSP સહિત પીઆઇ,પીએસઆઇ સહિતના પોલીસ કર્મી  હાજર રહ્યા હતા અને પોલીસકર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ શહેરમાં 27 જૂનના રોજ આયોજિત જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.