ભરૂચ : મનુબર ચોકડી નજીક અહમદનગર સોસાયટીમાં નિર્માણ પામેલ RCC રોડનું નગરસેવકોના હસ્તે લોકાર્પણ કરાયું

ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં નિર્માણ પામેલ RCC રોડનું સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • મનુબર ચોકડી નજીક અહમદનગર સોસાયટીમાં વિકાસ કાર્ય

  • મસ્જિદ ફળિયામાં રૂ. 5 લાખના ખર્ચે RCC રોડનું નિર્માણકાર્ય

  • સ્થાનિક નગરસેવકોના વરદહસ્તે RCC રોડનું લોકાર્પણ કરાયું

  • ચોમાસા વેળા સ્થાનિકોએ પડતી તકલીફોનો સુખદ અંત આવ્યો

  • સ્થાનિકોએ નગરપાલિકા સહિત નગરસેવકોનો આભાર માન્યો

ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં નિર્માણ પામેલ RCC રોડનું સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં અંદાજે રૂ. 5 લાખના ખર્ચે નિર્માણ પામેલ RCC રોડનું વોર્ડ નં. 1ના નગરસેવક સલિમ અમદાવાદી તેમજ હેમેન્દ્ર કોઠીવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવો RCC રોડ બની જવાથી ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો સુખદ અંત આવતા સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા સહિત સ્થાનિક નગરસેવકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અહમદનગર સોસાયટીની આગેવાન સિરાજભાઈજાકીરભાઈવસીમ પટેલમૌલવી અબ્દુલ્લાહ સહિત સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Latest Stories