ભરૂચ : મનુબર ચોકડી નજીક અહમદનગર સોસાયટીમાં નિર્માણ પામેલ RCC રોડનું નગરસેવકોના હસ્તે લોકાર્પણ કરાયું

ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં નિર્માણ પામેલ RCC રોડનું સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • મનુબર ચોકડી નજીક અહમદનગર સોસાયટીમાં વિકાસ કાર્ય

  • મસ્જિદ ફળિયામાં રૂ. 5 લાખના ખર્ચે RCC રોડનું નિર્માણકાર્ય

  • સ્થાનિક નગરસેવકોના વરદહસ્તે RCC રોડનું લોકાર્પણ કરાયું

  • ચોમાસા વેળા સ્થાનિકોએ પડતી તકલીફોનો સુખદ અંત આવ્યો

  • સ્થાનિકોએ નગરપાલિકા સહિત નગરસેવકોનો આભાર માન્યો

ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં નિર્માણ પામેલ RCC રોડનું સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં અંદાજે રૂ. 5 લાખના ખર્ચે નિર્માણ પામેલ RCC રોડનું વોર્ડ નં. 1ના નગરસેવક સલિમ અમદાવાદી તેમજ હેમેન્દ્ર કોઠીવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવો RCC રોડ બની જવાથી ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો સુખદ અંત આવતા સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા સહિત સ્થાનિક નગરસેવકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અહમદનગર સોસાયટીની આગેવાન સિરાજભાઈજાકીરભાઈવસીમ પટેલમૌલવી અબ્દુલ્લાહ સહિત સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.