ભરૂચ : રુંગટા વિદ્યાભવન ખાતે રેડ બ્રિગેડ-લખૌનો દ્વારા “આત્મરક્ષણ તાલીમ કાર્યશાળા” યોજાય...

કાર્યશાળામાં રેડ બ્રિગેડના સંસ્થાપક અને મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉષા વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી

New Update
  • સુરક્ષા જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાનું અભિયાન

  • રુંગટા વિદ્યાભવન ખાતે રેડ બ્રિગેડ દ્વારા આયોજન કરાયું

  • વિદ્યાર્થીઓ માટે આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું આયોજન

  • વિદ્યાર્થીઓને સાહસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું

  • વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ

ભરૂચ શહેરની રુંગટા વિદ્યાભવન ખાતે વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના અભિયાન અંતર્ગત આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લખનૌની જાણીતી સંસ્થા 'રેડ બ્રિગેડઅને સંસ્કાર ભારતી ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે રુંગટા વિદ્યાભવન ખાતે ગત તા. 11 એપ્રિલ-2025ના રોજ આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં રેડ બ્રિગેડના સંસ્થાપક અને મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉષા વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી હતી.

આ સાથે જ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમનામાં સ્થિતિ સ્થાપકતાસાહસ અને પરિવર્તનની પ્રેરણાદાયી વાતો કરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો અને તેમનામાં સલામતી અંગેની જાગૃતિ તથા આત્મવિશ્વાસ વધારવાનો હતો.

આ પ્રસંગે સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રૂંગટાકેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલઆચાર્ય દિવ્યજીતસિંહ ઝાલાશશીકાંત પટેલ સહિતના મહાનુભાવોએ રેડ બ્રિગેડની ટીમને આદર અને કૃતજ્ઞતાના પ્રતીકરૂપે સ્મૃતિચિહ્ન અર્પણ કર્યુ હતું.

 

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.