ભરૂચ : રુંગટા વિદ્યાભવન ખાતે રેડ બ્રિગેડ-લખૌનો દ્વારા “આત્મરક્ષણ તાલીમ કાર્યશાળા” યોજાય...

કાર્યશાળામાં રેડ બ્રિગેડના સંસ્થાપક અને મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉષા વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી

New Update
  • સુરક્ષા જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાનું અભિયાન

  • રુંગટા વિદ્યાભવન ખાતે રેડ બ્રિગેડ દ્વારા આયોજન કરાયું

  • વિદ્યાર્થીઓ માટે આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું આયોજન

  • વિદ્યાર્થીઓને સાહસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું

  • વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ

Advertisment

ભરૂચ શહેરની રુંગટા વિદ્યાભવન ખાતે વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના અભિયાન અંતર્ગત આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લખનૌની જાણીતી સંસ્થા 'રેડ બ્રિગેડઅને સંસ્કાર ભારતી ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે રુંગટા વિદ્યાભવન ખાતે ગત તા. 11 એપ્રિલ-2025ના રોજ આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં રેડ બ્રિગેડના સંસ્થાપક અને મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉષા વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી હતી.

આ સાથે જ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમનામાં સ્થિતિ સ્થાપકતાસાહસ અને પરિવર્તનની પ્રેરણાદાયી વાતો કરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો અને તેમનામાં સલામતી અંગેની જાગૃતિ તથા આત્મવિશ્વાસ વધારવાનો હતો.

આ પ્રસંગે સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રૂંગટાકેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલઆચાર્ય દિવ્યજીતસિંહ ઝાલાશશીકાંત પટેલ સહિતના મહાનુભાવોએ રેડ બ્રિગેડની ટીમને આદર અને કૃતજ્ઞતાના પ્રતીકરૂપે સ્મૃતિચિહ્ન અર્પણ કર્યુ હતું.

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment