ભરૂચ : સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાલબજાર પ્રાથમિક શાળાના બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરાયું...

સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદોને ઘણી સારી સહાય કરવામાં આવે છે.

New Update
  • લાલબજાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો કાર્યક્રમ

  • સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • સંસ્થા દ્વારા અવારનવાર કરાય છે વિવિધ આયોજન

  • 35 બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું

  • શાળાના આચાર્યએ ટ્રસ્ટના સભ્યોનો આભાર માન્યો

Advertisment

ભરૂચ શહેરની લાલબજાર પ્રાથમિક શાળા ખાતે સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદોને ઘણી સારી સહાય કરવામાં આવે છે.

આ સાથે જ TB રોગના દર્દીઓને દર મહિને TB સામે રક્ષણ આપતી કીટનું વિતરણ તેમજ ભૂખ્યાઓને ભોજન જમાડવાના કાર્યક્રમો પણ ટ્રસ્ટ દ્વારા થતાં રહેતા હોય છેત્યારે ભરૂચ શહેરની લાલબજાર પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળામાં અભ્યાસ કરતાં 35 જેટલાં બાળકોને વિનામુલ્યે સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ગીતા બેનર્જીએ જણાવ્યુ હતું કેટ્રસ્ટના તમમાં સભ્યો ખૂબ જ મહેનતથી પોતની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. સંસ્થાના કાર્યો કરવા માટે એક બીજાના માર્ગદર્શન હેઠળ કામ કરી સુંદર રીતે તમામ કાર્યક્રમોને સફળતાના શિખર સુધી પહોચાડવાનો શ્રેય સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાય છે.

આ પ્રસંગે સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના પ્રમુખ ગીતા બેનર્જીટ્રસ્ટી રિયાઝ પટેલ, જસ્મિતભાઈ અને લાલ બજાર પ્રાથમિક શાળાના આચાર્ય રવિન્દ્રભાઈઆંગણવાડી વર્કર ભાવના કોરલવાલાઅરુણાબ સોલંકી સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: નગપાલિકા-GPCB દ્વારા પ્લાસ્ટિક ડ્રાઇવ હાથ ધરાય, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 52 કિલો જથ્થો જપ્ત કરાયો

આગામી પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.

New Update
aa

આગામી પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં ઠેર – ઠેર પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતાં/વાપરતાં વેપારીઓની દુકાને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાંના ૧૧ વેપારીઓ પાસેથી ૫૨.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર નગરપાલિકા અને GPCB  અંકલેશ્વરની સ્પેશિયલ ટીમ દ્વારા ત્રણ રસ્તા માર્કેટ તથા APMC માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટીક ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા તેને જપ્ત કરી ૧૧ ઈસમો પાસેથી રૂ. ૫૮૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.આ સાથે જ શહેરના નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા નગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે
Advertisment