ભરૂચ : સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાલબજાર પ્રાથમિક શાળાના બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરાયું...

સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદોને ઘણી સારી સહાય કરવામાં આવે છે.

New Update
  • લાલબજાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો કાર્યક્રમ

  • સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • સંસ્થા દ્વારા અવારનવાર કરાય છે વિવિધ આયોજન

  • 35 બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું

  • શાળાના આચાર્યએ ટ્રસ્ટના સભ્યોનો આભાર માન્યો

ભરૂચ શહેરની લાલબજાર પ્રાથમિક શાળા ખાતે સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદોને ઘણી સારી સહાય કરવામાં આવે છે.

આ સાથે જ TB રોગના દર્દીઓને દર મહિને TB સામે રક્ષણ આપતી કીટનું વિતરણ તેમજ ભૂખ્યાઓને ભોજન જમાડવાના કાર્યક્રમો પણ ટ્રસ્ટ દ્વારા થતાં રહેતા હોય છેત્યારે ભરૂચ શહેરની લાલબજાર પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળામાં અભ્યાસ કરતાં 35 જેટલાં બાળકોને વિનામુલ્યે સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ગીતા બેનર્જીએ જણાવ્યુ હતું કેટ્રસ્ટના તમમાં સભ્યો ખૂબ જ મહેનતથી પોતની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. સંસ્થાના કાર્યો કરવા માટે એક બીજાના માર્ગદર્શન હેઠળ કામ કરી સુંદર રીતે તમામ કાર્યક્રમોને સફળતાના શિખર સુધી પહોચાડવાનો શ્રેય સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાય છે.

આ પ્રસંગે સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના પ્રમુખ ગીતા બેનર્જીટ્રસ્ટી રિયાઝ પટેલ, જસ્મિતભાઈ અને લાલ બજાર પ્રાથમિક શાળાના આચાર્ય રવિન્દ્રભાઈઆંગણવાડી વર્કર ભાવના કોરલવાલાઅરુણાબ સોલંકી સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.