ભરૂચ: સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા સ્ફૂર્તિ કલસ્ટરમાં ગેરરીતીના આક્ષેપ,કલેકટરને કરાય રજુઆત

સ્ફૂર્તિ કલસ્ટરમાં  ગેરરીતી થઈ રહી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવા પ્રોજેકટ CBDC - GMK & RTI ગાંધીનગરના ભંડોળ પર તાત્કાલિક પ્રતિબંધ  મૂકવાની માંગ કરવામાં આવી છે

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સેતુ સેવા ભારતી ટ્રસ્ટ પર ગેરરીતિનો આરોપ

  • સ્ફૂર્તિ કલસ્ટરમાં ગેરરીતી આચરાય હોવાના આક્ષેપ

  • ભંડોળ પર પ્રતિબંધ મુકવા માંગ

  • કલેકટરને રજુઆત કરવામાં આવી

સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા સ્ફૂર્તિ કલસ્ટરમાં  ગેરરીતી થઈ રહી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવા પ્રોજેકટ CBDC - GMK & RTI ગાંધીનગરના ભંડોળ પર તાત્કાલિક પ્રતિબંધ  મૂકવાની માંગ કરવામાં આવી છે
વડોદરાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓએ આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જીલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે.આ સંસ્થા દ્વારા ભારત સરકાર  સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લેવામાં આવ્યો છે. આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે જેમાં સરકાર 90% સુધીની ગ્રાન્ટ આપે છે.
આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે..સેતુ સેવા ભારતી ટ્રસ્ટએ અહીંના 500 સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ રૂ.2.68 કરોડની ગ્રાન્ટનો લાભ લીધો છે.
આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરના ગાઈડલાઈન્સ પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળના વહીવટમાં ગેરરીતી આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે  ત્યારે આ સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.