ભરૂચ : ગ્રામજનોની સુખાકારી માટે જુના તવરા ગામે શાંતિ હવન યોજાયો, વડીલો દ્વારા છેલ્લા 5 વર્ષથી થતું આયોજન...

ભરૂચ તાલુકાના જુના તવરાના ગ્રામજનો સુખમય અને નીરોગી રહે તે હેતુસર ગામના વડીલો દ્વારા ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જુના તવરા ગામના વડીલો દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • છેલ્લા 5 વર્ષથી ચૈત્ર માસ નિમિત્તે શાંતિ હવનનું આયોજન

  • ગ્રામજનો સુખમય - નીરોગી રહે તે હેતુસર આયોજન કરાયું

  • ગ્રામજનો દ્વારા શાંતિ હવનમાં પૂજન-શ્રીફળ હોમવામાં આવ્યું

  • શાંતિ હવનમાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી

ભરૂચ તાલુકાના જુના તવરાના ગ્રામજનો સુખમય અને નીરોગી રહે તે હેતુસર ગામના વડીલો દ્વારા ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામના ગ્રામજનો સુખમય અને નિરોગી રહે તથા દરેક વ્યક્તિના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા શુભ હેતુથી ગામના વડીલો દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં છેલ્લા 5 વર્ષથી શાંતિ હવનનું આયોજન કરવામાં આવતું હોય છેત્યારે આ વર્ષે પણ નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે વેરાઈ માતા મંદિરના પટાંગણમાં ચૈત્ર માસ નિમિત્તે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ હવનમાં ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતાજ્યાં હવન-પૂજન કરી શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ આરતી કરી પ્રસાદી લઈ ગામના લોકોની સુખાકારી માટે માતાજી અને ભગવાનને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી હવન-પૂજનદર્શન સહિત પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.