-
જુના તવરા ગામના વડીલો દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
છેલ્લા 5 વર્ષથી ચૈત્ર માસ નિમિત્તે શાંતિ હવનનું આયોજન
-
ગ્રામજનો સુખમય - નીરોગી રહે તે હેતુસર આયોજન કરાયું
-
ગ્રામજનો દ્વારા શાંતિ હવનમાં પૂજન-શ્રીફળ હોમવામાં આવ્યું
-
શાંતિ હવનમાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી
ભરૂચ તાલુકાના જુના તવરાના ગ્રામજનો સુખમય અને નીરોગી રહે તે હેતુસર ગામના વડીલો દ્વારા ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામના ગ્રામજનો સુખમય અને નિરોગી રહે તથા દરેક વ્યક્તિના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા શુભ હેતુથી ગામના વડીલો દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં છેલ્લા 5 વર્ષથી શાંતિ હવનનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે વેરાઈ માતા મંદિરના પટાંગણમાં ચૈત્ર માસ નિમિત્તે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ હવનમાં ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં હવન-પૂજન કરી શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ આરતી કરી પ્રસાદી લઈ ગામના લોકોની સુખાકારી માટે માતાજી અને ભગવાનને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી હવન-પૂજન, દર્શન સહિત પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.