ભરૂચ : ગ્રામજનોની સુખાકારી માટે જુના તવરા ગામે શાંતિ હવન યોજાયો, વડીલો દ્વારા છેલ્લા 5 વર્ષથી થતું આયોજન...

ભરૂચ તાલુકાના જુના તવરાના ગ્રામજનો સુખમય અને નીરોગી રહે તે હેતુસર ગામના વડીલો દ્વારા ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જુના તવરા ગામના વડીલો દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • છેલ્લા 5 વર્ષથી ચૈત્ર માસ નિમિત્તે શાંતિ હવનનું આયોજન

  • ગ્રામજનો સુખમય - નીરોગી રહે તે હેતુસર આયોજન કરાયું

  • ગ્રામજનો દ્વારા શાંતિ હવનમાં પૂજન-શ્રીફળ હોમવામાં આવ્યું

  • શાંતિ હવનમાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી

ભરૂચ તાલુકાના જુના તવરાના ગ્રામજનો સુખમય અને નીરોગી રહે તે હેતુસર ગામના વડીલો દ્વારા ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામના ગ્રામજનો સુખમય અને નિરોગી રહે તથા દરેક વ્યક્તિના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા શુભ હેતુથી ગામના વડીલો દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં છેલ્લા 5 વર્ષથી શાંતિ હવનનું આયોજન કરવામાં આવતું હોય છેત્યારે આ વર્ષે પણ નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે વેરાઈ માતા મંદિરના પટાંગણમાં ચૈત્ર માસ નિમિત્તે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ હવનમાં ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતાજ્યાં હવન-પૂજન કરી શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ આરતી કરી પ્રસાદી લઈ ગામના લોકોની સુખાકારી માટે માતાજી અને ભગવાનને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી હવન-પૂજનદર્શન સહિત પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધથી ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની

New Update
  • ભરૂચના દહેજ બાયપાય રોડનું તંત્રનું જાહેરનામું

  • ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

  • જાહેરનામાના કારણે ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

  • બહારથી આવતા વાહનચાલકો પરેશાન

  • કલાકોના કલાકો હાઇવે પર જ વિતાવવા પડે છે

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધના તંત્રના જાહેરનામા બાદ ટ્રાફિકજામની સમસ્યા આંશિક હળવી બની છે જોકે બહારથી આવતા ભારદારી વાહનોના ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની અસર હવે માર્ગો પર દેખાઈ રહી છે. આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની છે શ્રવણ ચોકડી નજીક બની રહેલ એલિવેટર બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિકજામની સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોટા ભારદારી વાહનો સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમ્યાન પસાર થઈ શકતા નથી. 

જાહેરનામાના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી જતા સેંકડો વાહન ચાલકોને રાહત સાંપડી છે તો બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને દહેજ તરફથી આવતા ભારદારી વાહનચાલકોની હાલત કફોડી બની છે તેઓએ કલાકોના કલાકો એન્ટ્રી માટે રાહ જોવી પડી રહી છે. અન્ય પ્રદેશમાંથી આવતા વાહન ચાલકોને આ જાહેરનામનો ખ્યાલ ન હોવાના કારણે તેઓ ભરૂચ સુધી તો આવી જાય છે પરંતુ દહેજ બાયપાસ રોડ પરનો એન્ટ્રીના કારણે તેઓએ હાઇવે પર જ 10 થી 12 કલાક વિતાવવા પડે છે.

#Traffic jam #Bharuch News #heavy vehicles #Dahej Bypass Road #Bharuch Traffic Jam
Latest Stories