ભરૂચ: નેત્રંગ તાલુકામાં અત્યાર  સુધી ચાંદીપુરા વાયરસના 3 કેસ, ખરેઠા ગામે મોતને ભેટેલા બાળકનો રિપોર્ટ નેગેટિવ

ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૩ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

New Update
bhrrrtr

ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૩ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાં ઘાણીખૂટ ગામના ર(બે) દર્દીઓ હતા. જેમા પહેલા દર્દીની ઉંમર ચાર (૪) વર્ષની હતી જે GMERS ગોત્રી વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જે દર્દીનો સેમ્પલ નેગેટીવ આવ્યો હતો. (૨) બીજા દર્દીની ઉંમર (૧.૫) વર્ષની હતી જે GMERS રાજપીપલા ખાતે દાખલ હતું, આ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે અને હાલ દર્દીની સ્થિતી સ્વસ્થ છે. તેમજ આ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત, ખરેઠા ગામમાથી ૧ (એક) ૩ વર્ષના દર્દીનું સેમ્પલ લેવામાં આવેલ હતું. આ  દર્દીને તા.૨૩/૦૭/૨૦૨૪ના રોજ GMERS ગૌત્રી વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યું હતુ જેની ૩ દિવસની સારવાર બાદ તા. ૨૧/૦૭/૨૦૨૪ના રોજ દર્દીનુ મૃત્યુ થયેલ હતુ પરંતુ  આ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો  છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.