ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરે ચાદર વિધિ-સોલસી ભંડારાનું આયોજન શ્રી ગુમાનદેવ રામાનંદ વિરતક મંડળના મહંત મનમોહન દાસજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરના મહંત ઓમકારદાસજી ગત તા. 13 જૂન 2024 રોજ સાકેતવાસ થયા છે. તેમનો સોલસીનો ભંડારો અને એમના શિષ્ય રામદાસજીની ચાદરવિધી શ્રી ગુમાનદેવ રામાનંદ વિરતક મંડળના મહંત મનમોહન દાસજીની અધ્યક્ષતા અને સર્વે મહંત તથા સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાય હતી. રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આયોજિત ભંડારા અને ચાદર વિધિમાં સાધુ-સંતો સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.