ભરૂચ: વાલિયામાં સાસુ સસરાની હત્યા કરનાર જમાઈ 10 દિવસમાં પોલીસ રિમાન્ડ પર, લૂંટ કરી હત્યાના ગુનાને આપ્યો હતો અંજામ

ભરૂચના વાલીયામાં શિક્ષક સાસુ-સસરાની હત્યા કરનાર જમાઈના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાસુ-સસરાના ઘરમાં લૂંટના ગુનાને અંજામ આપી ઠંડા કલેજે હત્યા

New Update
ભરૂચના વાલિયામાં બન્યો હતો બનાવ
Advertisment
શિક્ષક દંપત્તીની કરાય હતી હત્યા
પોલીસે જમાઈની કરી હતી ધરપકડ
આરોપીને કોર્ટેમાં રજૂ કરાયો
કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
ભરૂચના વાલીયામાં શિક્ષક સાસુ-સસરાની હત્યા કરનાર જમાઈના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાસુ-સસરાના ઘરમાં લૂંટના ગુનાને અંજામ આપી ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી
Advertisment
ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી હતી. 
જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણા અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સધ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું જેના ભાગરૂપે તે કાર લઇ ગાંધીનગરથી વાલીયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી હતી.પોલીસે આજે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જો કે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હત્યાના ગુનામાં વપરાયેલ હથિયાર તેમજ તેણે પહેરેલા કપડા રિકવર કરવાના બાકી છે.આ ઉપરાંત લૂંટમાં ગયેલ કેટલોક સામાન પણ હજુ રિકવર કરવાનો બાકી હોવાથી પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી.આ ઉપરાંત હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ તે ક્યાં ક્યાં ગયો હતો તે સહિતના મુદ્દે પોલીસે રીમાન્ડની માંગણી કરી હતી ત્યારે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment