ભરૂચ: વાલિયામાં સાસુ સસરાની હત્યા કરનાર જમાઈ 10 દિવસમાં પોલીસ રિમાન્ડ પર, લૂંટ કરી હત્યાના ગુનાને આપ્યો હતો અંજામ

ભરૂચના વાલીયામાં શિક્ષક સાસુ-સસરાની હત્યા કરનાર જમાઈના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાસુ-સસરાના ઘરમાં લૂંટના ગુનાને અંજામ આપી ઠંડા કલેજે હત્યા

New Update
ભરૂચના વાલિયામાં બન્યો હતો બનાવ
શિક્ષક દંપત્તીની કરાય હતી હત્યા
પોલીસે જમાઈની કરી હતી ધરપકડ
આરોપીને કોર્ટેમાં રજૂ કરાયો
કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
ભરૂચના વાલીયામાં શિક્ષક સાસુ-સસરાની હત્યા કરનાર જમાઈના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાસુ-સસરાના ઘરમાં લૂંટના ગુનાને અંજામ આપી ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી
ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી હતી. 
જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણા અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સધ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું જેના ભાગરૂપે તે કાર લઇ ગાંધીનગરથી વાલીયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી હતી.પોલીસે આજે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જો કે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હત્યાના ગુનામાં વપરાયેલ હથિયાર તેમજ તેણે પહેરેલા કપડા રિકવર કરવાના બાકી છે.આ ઉપરાંત લૂંટમાં ગયેલ કેટલોક સામાન પણ હજુ રિકવર કરવાનો બાકી હોવાથી પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી.આ ઉપરાંત હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ તે ક્યાં ક્યાં ગયો હતો તે સહિતના મુદ્દે પોલીસે રીમાન્ડની માંગણી કરી હતી ત્યારે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.